Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

" કોવિદ -19 " : સિંગાપોરમાં રોજી ગુમાવી બેઠેલા ભારતીયો વતનની વાટ પકડી રહ્યા હોવાના અહેવાલ : અત્યાર સુધીમાં 11 હજાર ભારતીયોએ રજીસ્ટ્રેશન કરાવ્યું : સિંગાપોર ખાતેના ભારતના હાઇ કમિશનરે આપેલી માહિતી

સિંગાપોર : કોવિદ - 19 ના કારણે રોજી ગુમાવી બેઠેલા ભારતીયો વતનની વાટ પકડી રહ્યા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
સિંગાપોર ખાતેના ભારતના હાઇ કમિશનર શ્રી પી.કુમારને જણાવ્યા  મુજબ દરરોજ સરેરાશ 100 જેટલા ભારતીયો વતનમાં જવા માટે રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે.અત્યાર સુધીમાં 11 હજાર ભારતીયોએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે.તેવું તેમણે જણાવ્યું છે.

(9:02 pm IST)