Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021
અવસાન નોંધ

દિલીપભાઈ દવે

રાજકોટઃ નિવાસી સ્વ.ચંદ્રકાંતભાઈ કેશવલાલ દવેના પુત્ર સ્વ.દિલીપભાઈ (ડી.સી.) તે વંદનાબેનના પતિ (જી.ટી. શેઠ હાઈસ્કુલ), સ્વ.જયંતિભાઈ, સ્વ.મહેશભાઈ તથા મધુભાઈ દવેના ભત્રીજા, દર્શનના પિતાશ્રી તેમજ યોગેશભાઈ, રાજેન્દ્રભાઈ, મનીષભાઈ તથા કલ્પના ત્રિવેદીના ભાઈ તથા કરણના ભાઈજી, સતિષભાઈ મહેતાના વેવાઈનું  તા.૮ના દુઃખદ અવસાન થયેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.  ટેલીફોનીક બેસણું તા.૧૧ને સોમવારના સાંજે ૫ થી ૬ રાખેલ છે.

જેરામભાઈ જેઠવા

રાજકોટઃ જેરામભાઈ રૂડાભાઈ જેઠવા તે વિનોદભાઈ (એ.જી.ઓફિસ) તથા છગનભાઈના પિતા તેમજ અશ્વીનભાઈનાં દાદાનું તા.૮ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું 'પ્રમુખ હૃદય' લક્ષ્મીપાર્ક શેરીનં.૩, ઈસ્કોન હાઈટ્સ સામે, સત્યજીત સોપાન એપાર્ટમેન્ટની બાજુમાં, જીવરાજ પાર્ક તા.૧૧ સોમવારે સમય સાંજે ૪ થી ૬ રાખેલ છે.

નયનાબેન ખખ્ખર

રાજકોટ : સ્વ. ગુણવંતરાય ઓધવજીના પુત્રવધુ તથા અશોકભાઇ ગુણવંતરાયના ધર્મપત્ની, જનસત્તા પ્રેસ રિટાયર્ડકર્મચારી, સદ્ગુરૂ મેડીકલ એજન્સી જલ્પેશભાઇના માતુશ્રી તેમજ શીતલબેન જીજ્ઞેશભાઇ ભુપ્તા, અમીબેન નિષાદકુમાર સુચક, તથા એકતાબેન જતીનકુમાર સોનછાત્રાના માતુશ્રી, વિનુભાઇ જગમોહનભાઇ કારીયાના બેન નયનાબેન અશોકભાઇ ખખ્ખર શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષનું બેસણું  તા.૧૧ ના રોજ સાંજે ૪થી ૬, ટેલીફોનિક બેસણું રાખેલ છે) અશોકભાઇ ખખ્ખર-૯૯૭૦૭ ૬૮૩૦૮, જલ્પેશ અશોકભાઇ ખખ્ખર ૭૦૧૬૪ ૪ર૭૮૧ આશાબેન જલ્પેશભાઇ ખખ્ખર , આશાબેન જલ્પેશભાઇ ખખ્ખર ૯૯૯૮૭ ૪૪૮રર , શ્રવિનુભાઇ જગમોહનભાઇ કારીયા- ૯૩ર૮૩ પ૭૦૧૯, દક્ષાબેન વિનુભાઇ કારીયા ૯૮૭૯૯ ૭ર૪૪૪

કંચનબેન ઠાકર

જામનગર : કંચનબેન દેવેન્દ્રભાઇ ઠાકર (ઉ.વ.૭૦) સી.વી. ઠાકર બુકસેલરવાળા, તે દેવેન્દ્રભાઇ બાબુલાલ ઠાકરના પત્ની, રાકેશ, હિતેષ અને નિશાબેનના માતા, ભાવેશભાઇ ઠાકરના સાસુ અને સ્વ. અરૂણાભાઇ, પ્રફુલભાઇ, સ્વ. પ્રદીપભાઇ, પ્રકાશભાઇ અને રાજુભાઇના ભાભીનું તા. ૭ ગુરૂવારે અવસાન થયું છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને ટેલિફોનિક બેસણું તા. ૯ શનિવારના સાંજે પ થી ૬ રાખવામાં આવ્યું ટેલિફોનિક નં. દેવેન્દ્રભાઇ ૮૧પ૪૦ ર૬પ૬૮, પ્રફુલભાઇ- ૬૩પપર ૪૪૭૭ર, રાકેશભાઇ ૯૮૭૯૧ ૧૮૧૮૩ , હિતેશભાઇ ૯૪ર૮૮ ૬૩૪૧૮, નિશાબેન ૯૧૭૩પ ૬ર૯૩પ

ઉર્મિલાબેન રાચ્છ

રાજકોટઃ ઉર્મિલાબેન રાચ્છ (ઉ.વ.૭૦) ભૂતપૂર્વ મદદનીશ શિક્ષિકા નવયુગ વિદ્યાલય પોરબંદર) તે મધુભાઇ રાચ્છના ધર્મપત્નિ સ્વ.લલીતાબેન અને સ્વ.કેશવલાલ ખટાવ રાચ્છના પુત્રવધુ -મનીષભાઇ (માધવ માર્કેટીંગ) મોનાબેન (યવતમાલ), સંગીતાબેન (કાલીપટ-કેરળ)ના માતૃશ્રી અને ધારાબેન, પ્રફુલ ભૂપતા અને અમરીશ પાલીચાના સાસુ તેમજ ધર્મેન્દ્રભાઇ (ઓમ એન્ટરપ્રાઇઝ)ના ભાભી-મહર્ષિના દાદી અને ક્રિશ્નાબેન- પ્રતિકભાઇના ભાભુ સ્વ.કંચનબેન કેશવજી વર્મા (મોઝામ્બિક)ની દિકરી- મુકતાબેન મામતોરા (લંડન), સરલાબેન કોટેચા (લંડન), ચંદ્રિકાબેન રાયચુરા (લંડન) અને પુષ્પાબેન અનિલભાઇ દાવડાના બેનનું અવસાન થયુ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા.૯ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે મધુભાઇ મો.નં.૯૭૨૭૬૦૬૨૬૩ તથા ધર્મેન્દ્રભાઇ (ગોપાલભાઇ) ૯૭૨૭૭ ૭૭૭૮૯ તેમજ મનીષભાઇ ૯૩૭૪૫ ૨૨૨૪૪ છે.

કિશોરભાઇ કોટેચા

માળીયા હાટીનાઃ કિશોરભાઇ કાંતિલાલ કોટેચા (ઉ.વ.૭૨) (કે કે પાનવાળા) તે હિતેશભાઇ, લતાબેન, મંજુબેન, જયોતિબેન અને ઇલાબેનનાં ભાઇ તેમજ મનીષ, વીરૂ, જતીનનાં પિતાશ્રી અને રૂસી કેસનાં દાદા અને પ્રેમનાં મોટા બાપુજીનું તા.૮નાં રોજ અવસાન થયું છે. બેસણું તા.૯ને શનિવારે સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી લોહાણા મહાજન વાડી ખાતે રાખેલ છે.

હિરાબેન ભટ્ટ

ગોંડલઃ કેશોદ સોરઠીયા શ્રીગૌળ માળવીય બ્રાહ્મણ મૂળ સીદસર નિવાસી હાલ કેશોદ સ્વ.કનૈયાલાલ નાગજીભાઇ ભટ્ટના પત્નિ હિરાબેન કે.ભટ્ટ તે સતીશભાઇ, હસમુખભાઇ-જુનાગઢ, ઉષાકાંતભાઇ- (બલુભાઇ) કેશોદ તથા કિરણબેન હિતેશકુમાર દવેના માતા અને તાલાળા સ્વ. વિદુરજી આત્મરામ પંડયાના પુત્રી તથા સ્વ.પ્રવિણચંદ્ર પંડયા - ઉના તથા સ્વ.ઇશ્વરલાલ એચ.પંડયા - તાલાળાના બહેનનું તા.૭ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું કેશોદના નિવાસસ્થાને તા.૯ને શનિવારે ૪ થી ૬ કલાકે રાખવામાં આવેલ છે. મો.૯૪૨૬૭૩૬૭૨૯, ૯૪૨૬૮૨૬૬૫૩, ૯૩૨૮૩ ૩૩૧૨૨, ૯૮૨૫૫ ૧૬૪૯૯, ૭૯૮૪૮ ૫૮૭૧૦, ૯૪૨૬૪ ૩૧૯૬૦

રાજકુમાર હુબલ

રાજકોટઃ રાજકુમાર (રાજા) રમેશભાઇ હુબલ (ઉ.વ.૫૦ CTC)નું તા.૬ બુધવારના અવસાન થયેલ છે. તેમનું બેસણું ટેલીફોનીક આજે તા.૯ા શનિવારે ૪ થી ૬ રાખેલ છે. સમ્ય હુબલ (સેન્ટ્રલ બેંક) મો.૯૩૨૭૧૨૬૫૬૬ તથા પરાગ હુબલ (આઇ.ટી.આઇ) મો.૯૭૨૪૭૩૩૧૩૬ અને ઋતુરાજ રાજકુમાર હુબલ મો.૯૮૯૮૬૦૩૨૧૨ છે.

પ્રકાશભાઇ નિમાવત

રાજકોટઃ પ્રકાશભાઇ મનહરલાલ નિમાવત (ઉ.વ.૫૮) (હનુમંત ડેરી) તે સ્વ. મનહરલાલ એમ. નિમાવત તથા દુર્ગાબેનના પુત્ર તેમજ હરેશભાઇ, કીશોરભાઇ, પુષ્પાબેન, જાગૃતિબેનના ભાઇ તા.૭ના શ્રી  રામચય પામ્યા છે. સ્વર્ગસ્થનું ટેલીફોનીક બેસણું તા.૯ના શનિવારે સાંજે  ૪ થી ૬ હરેશભાઇ નિમાવત મો.૯૪૨૮૨ ૮૬૬૫૧ છે.

નિર્મળાબેન લીમ્બડ

મોરબી : મુળ ખાનપર હાલ મોરબી નિવાસી મ.ક.સ.સુ. જ્ઞાતિના નિર્મળાબેન રતિલાલ લીમ્બડ (ઉ.૮પ) તે સ્વ. રતિલાલ ઠાકરશીભાઇ લીમ્બડના ધર્મપત્ની, તેમજ મહેશભાઇ, જગદીશભાઇ, નરેશભાઇ અને પરેશભાઇના માતુશ્રી અને નિતીન તથા ધવલના દાદીમાનું તા. ૭ ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૧ ને સોમવારે સવારે ૯ થી ૧૧ સદગતના નિવાસ સ્થાન ખાનપર તા. જી. મોરબી રાખેલ છે.  (મો. ૯૯૯૮૮ ૩પ૪૦૮, મો. ૯૮૭૯૧ ૩૩૧૯૯, ૯૯૦૯૬ ર૩૮૯૭, મો. ૯૬૦૧૦ ૮૬૪૦૭)

 રણજીતભાઇ ઠાકરીયા

રાજકોટ : રણજીતભાઇ ધનરાજભાઇ ઠાકરીયા (ગઢવી) મુળ જાંબુડા હાલ રાજકોટનું તા.૮ ના અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણુ રાખેલ છે. તેમજ ઉત્તરક્રિયા - કારજ તા. ૧૬ ના શનિવારના જાંબુડા મુકામે રાખેલ છે. મેહુલભાઇ આર. ઠાકરીયા મો. ૯૮૯૮૩ ૧૪ર૯૩ તથા નીતિનભાઇ એન. ઠાકરીયા મો. ૯૮ર૪૦ ૯૦ર૩૯ છે.

અરવિંદભાઇ પારેખ

જસદણ :.. જેતપુર મોઢ વણિક અરવિંદભાઇ (ગોવિંદભાઇ) પોપટલાલ પારેખ (ઉ.૭૦), તે તરૂણભાઇ, હિતેશભાઇ, નીલમબેન હિતેશભાઇ ધારૈયા, (જસદણ) ના પિતાશ્રી તથા કિશોરભાઇ મોરબીવાળા ના ભાઇનું તા. ૮ ના રોજ અવસાન થયું છે. બેસણું તા. ૯ શનિવારે સાંજે ૪ થી પ બાપુની વાડી, ખોડીયાર મંદિર, જેતપુર ખાતે રાખેલ છે.

હીરાબેન ભટ્ટ

જસદણ : સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મુળ સીદસર હાલ કેશોદ સ્વ. કનૈયાલાલ નાગજીભાઇ ભટ્ટના ધર્મપત્ની ગં. સ્વ. હીરાબેન કનૈયાલાલ ભટ્ટ (ઉ.વ.૮૩) તે સતીશભાઇ ભટ્ટ, હસમુખભાઇ ભટ્ટ જુનાગઢ, ઉષાકાંત ભટ્ટ કેશોદ (બલુભાઇ), કિરણબેન હિતેશકુમાર દવે ગોંડલના માતુશ્રી, તે કૃષ્ણકાંત ભટ્ટ, મૌલિક ભટ્ટ, પ્રશાંત  ભટ્ટ, અક્ષય ભટ્ટ, માધવી યજ્ઞેશ દવે, માનસી પ્રતિક ઓઝા, મહેક ભટ્ટના દાદીમાનું અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ (સરકારશ્રીના નિયમ અનુસાર) તા. ૯ શનિવારે સાંજે ૪ થી ૬ રાખ્યું છે. સતીશભાઇ ભટ્ટ મો. ૯૪ર૬૭ ૩૬૭ર૯, હસમુખભાઇ ભટ્ટ મો. ૯૪ર૬૮ ર૬૬પ૩, ઉષાકાંત ભટ્ટ મો.૯૩ર૮૩ ૩૩૧રર શ્રી હિતેશકુમાર દવે મો. ૯૮રપપ ૧૬૪૯૯

હસમુખભાઇ શાહ

રાજકોટઃ   નિવાસી શ્રી હસમુખભાઇ તારાચંદભાઇ શાહ (મોદી) (ઉ.વ.૭૮), તે રાજકોટ નાગરીક સહકારી બેંકના નિવૃત ઓફીસર, તે કોકીલાબેનનાં પતિ, સ્વ.લલીતભાઈ મોદી તથા સ્વ. નટવરલાલ મોદીનાં નાના ભાઈ તેમજ ભાવેનભાઇ, વિરલભાઈ અને વિક્રમભાઇના પિતાશ્રી, હિનાબેન, સ્વાતીબેન અને ધારાબેનના સસરા, સુધીરભાઇ શેઠ અને દિપકભાઇ શેઠના બનેવી તા. ૮ નાં રોજ અરીહંત શરણ પામેલ છે. હાલની પરીસ્થિતીને ધ્યાનમાં રાખી પ્રાર્થના સભા તથા લોકિક વ્યવહાર બંધ રાખેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૧ ને સોમવારના રોજ બપોરે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે.

જયંતિભાઇ ઠકકર

રાજકોટઃ શ્રી જ્યંતિભાઇ કાનજીભાઇ ઠકકર (ઉ.વ. ૮૨) મૂ. નિવાસી જામનગર, હાલ રાજકોટ જેઓ પિયુષભાઇ (શ્યામકુડ), નિલુબેન (અમાની બ્યુટી પાર્લર), રશ્મીબેન (સર્વોદય સ્કૂલ) ના પિતાશ્રી તેમજ સ્વ. પોપટલાલ બગડાઈના જમાઇનું તા. ૯ના રોજ ગોકુલવાસી થયેલ છે. સ્વર્ગસ્થનું ટેલીફોનીક બેસણું સોમવારે સાંજે ૫ થી ૬ રાખેલ છે.

કુંદનબેન ખખ્ખર

રાજકોટઃ   કુંદનબેન અશોકભાઇ ખખ્ખર (ઉ.વ.૬૮) તે અશોકભાઇ (પી.એમ. આંગડીયાવાળા)ના ધર્મપત્નિ તેમજ મનોજભાઇ તથા ભાવેશભાઇના માતુશ્રી તા.૯ના અક્ષર નિવાસી થયેલ  છે. તેમની સ્મશાન યાત્રા આજે બપોરે ૩ વાગ્યે રાજકોટ મુકામે તેમના નિવાસ સ્થાનેથી નીકળી હતી. ભાવેશ એ ઠકકર, સી.૩૨ શાલીગ્રામ એપાર્ટમેન્ટ, દીવાનપરા પોલીસ ચોકીની સામે, ભુપેન્દ્ર રોડ, રાજકોટ મો.૯૭૨૬૪ ૩૯૮૩૯, ૯૪૨૯૭ ૭૦૬૭૬, ૯૭૨૭૬ ૨૭૦૩૨