Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

૬ વર્ષના ભગૂડીને 'કાળોતરો' કરડતાં મોત

અમરેલીના બાળકે રાજકોટ હોસ્પિટલમાં દમ તોડતાં પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૮: અમરેલીમાં સાવરકુંડલા રોડ પર હુડકો કવાર્ટર પાસે રહેતાં દેવીપૂજક પરિવારના ૬ વર્ષના ટેણીયા ભગુડી કેશુભાઇ વાજેલીયાને સાંજે ઘરે ખાટલામાં સુતો હતો ત્યારે સાપ કરડી જતાં અમરેલી હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે અમરેલી પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર ભગુડી છ બહેન અને ચાર ભાઇમાં વચેટ હતો. તેના પિતા કેશુભાઇ ભીખાભાઇ છુટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(12:42 pm IST)