Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

નાબાર્ડ અને એસબીઆઇ વચ્ચેના એમઓયુ પર હસ્તાક્ષર

રાજકોટ, તા. ૮ : ડી.કે. મિશ્રા, સીજીએમ, નાબાર્ડ અને દુધબંધુ રથ, સીજીએમ, એસબીઆઇ અમદાવાદ સર્કલ દ્વારા એસબીઆઈ, લોકલ  હેડઓફિસમાં ૫ ઓકટોબર ૨૦૨૦ ના રોજ નાબાર્ડ અને એસબીઆઇ વચ્ચેના એમઓયુ પર હસ્તાક્ષર કરવામા આવ્યા જેમાં  વીડિયો કોન્ફરન્સ દ્વારા સીએસ સેટ્ઠટી, એમડી (આર એન્ડ ડીબી), એસબીઆઈ અને શ્રી સંજીવ નૌટિયાલ, ડીએમડી  (એફઆઇ એમએમ), એસબીઆઇ,  બરકત અલી, સીજીએમ (વ્યાપાર વિકાસ), એફઆઇ એમએમ, કોર્પોરેટ સેન્ટર, એસબીઆઈ, પીવીએસએનએલ મૂર્તિ, સીજીએમ, ચીફ સ્ટ્રેટેજી ઓફિસર, એસબીઆઇ, મધુકર આનંદ, જી એમ, એફઆઇએમએમ,  અમદાવાદ સર્કલ હાજરી આપી છે. શ્રી એસ. કે. પાનીગ્રહી, રિઝનલ ડિરેકટર, આરબીઆઈ, અમદાવાદ, શ્રીમતી. સી. સરસ્વતી,  ડીજીએમ, નાબાર્ડ અને ડો. જી આર ચિંતાલા, અધ્યક્ષ, નાબાર્ડ અને તમામ ડીજીએમ અને વરિષ્ઠ અધિકારીઓ એલએચઓએ આ  પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.     ત્રણ એમઓયુ પર હસ્તાક્ષર સાથે, લોકો માટે ક્રેડિટ સપોર્ટને પ્રાપ્ય બનાવવાનો લક્ષ્ય છે જેઓને  આની સૌથી વધારે જરૂર છે અને જેઓ અત્યાર સુધી જાણકારીના અથવા યોજનાની અનુપલબ્ધતાને કારણે આ કરી શકયા નથી  તેવા લોકોને શામિલ કરવાનો છે.   

પ્રથમ એમઓયુ સંયુકત લાયબિલિટી ગ્રુપ (જેએલજી) અને સ્વ-સહાય જૂથ પ્રોજેકટ 'ઇ-શકિત' હેઠળ નાણાકીય સહાય માટે છે.  આ એમઓયુનું ધ્યેય કેન્દ્રિત સંસ્થા ધિરાણ દ્વારા જેએલજી અને એસએચજી ની ક્રેડિટ આવશ્યકતાઓને પૂર્ણ કરવા માટે નો છે.  

ગુજરાત રાજયમાં આપણી પાસે ૧.૧૦ લાખ ૦-૩ ટકા અને ૨.૩૫ લાખ એસ.એચ.જી. છે, જે ફોલોઅપ અને ક્રેડિટ જોડાણ માટેની  શાખાઓ છે.   

બીજો એમઓયુ ખેડૂતના ઉત્પાદક સંગઠનો (એફપીઓ) ને ક્રેડિટના પ્રવાહને સંયુકત રીતે ટેકો આપવાનો ઇરાદો ધરાવે છે.  આ એમઓયુ હેઠળ ૧૦૦ ૨૦૦્રુ ને વર્કિંગ કેપિટલ જરૂરિયાતો / ટર્મ ધિરાણના માર્ગ દ્વારા ક્રેડિટ સપોર્ટ, આજથી શરૂ થનારા ૩  વર્ષના સમયગાળા દરમિયાન એફપીઓ માટે લંબાવવામાં આવશે.   

ત્રીજો એમઓયુ, વોટરશેડ ડેવલપમેન્ટ પ્રોજેકટ ક્ષેત્રમાં પ્રાથમિક, માધ્યમિક અને તૃતીય ક્ષેત્રો અને માઇક્રો એગ્રો પ્રોસેસિંગને  આવરી લેતી આર્થિક પ્રવૃત્ત્િ।ઓને સંયુકત રીતે ટેકો આપવાનો ઇરાદો ધરાવે છે. આશરે ૨ લાખ સિંચાઈ પ્રવૃત્ત્િ।ઓને ધિરાણ  આપવાની સંભાવના છે, જૈની લીડ નાબાર્ડ દ્વારા શેર કરવામાં આવશે.

(2:55 pm IST)