Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

સૌરાષ્ટ્ર ભાજપના પ્રવકતા રાજુભાઈ ધ્રુવના માતુશ્રીનું દુઃખદ નિધન : સાંજે સ્મશાનયાત્રા

રાજકોટ : શ્રી નિર્મલાબેન મનહરભાઈ ધ્રુવ (ઉ.વ.૮૮) તે સ્વ.મનહરલાલ રાયચંદ ધ્રુવના ધર્ર્મપત્નિ મહેન્દ્રભાઇ, નરેશભાઈ, વસંતભાઇ, રાજુભાઈ (સૌરાષ્ટ્ર ભાજપના પ્રવકતા) તથા ભરતભાઈ, વીણાબેન અને મંજુલાબેનના માતુશ્રીનું આજે સવારે હૃદયરોગના હુમલા દરમિયાન દુઃખદ અવસાન થયેલ છે. સ્વ.નિર્મલાબેન ધ્રુવની અંતિમયાત્રા આજે ગુરૂવારે બપોરે ૪ વાગ્યે તેમના નિવાસસ્થાને મનહર એપાર્ટમેન્ટ, ૧૭, સરદારનગર, પૂજારા ટેલીકોમ પાછળની શેરી એસ્સ્ટ્રોન ચોક પાસે રાજકોટ ખાતેથી રામનાથપરા સ્મશાને જશે.

અકિલા પરિવારે બે મિનિટ મૌન રાખી સદ્દગતને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. (શ્રી રાજુભાઈ ધ્રુવ - મો.૯૪૨૬૭ ૧૯૫૫૫)

શહેર ભાજપના આગેવાનો સર્વશ્રી કમલેશભાઈ મીરાણી, અનિલભાઈ પારેખ, કીરીટભાઇ પાઠક, જયંતભાઈ ઠાકર, હરેશભાઈ જોષી સહિતના આગેવાનોએ રાજુભાઈના નિવાસસ્થાને જઈ સદ્દગતને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

(3:42 pm IST)