Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

નવાગામ છપ્પનીયામાં પાણીની લાઇનનું ખાતમુહુર્ત

રાજકોટ :મહાપાલિકાની સ્થાપનાથી શહેરના વોર્ડનં. ૫માં આવેલ નવાગામ પાસેના છપ્પનીયા વિસ્તાર તરીકે ઓળખાતા વિસ્તારોના રહેવાસીઓ નળ વિના પાણની સમસ્યા વર્ષોથી ભોગવતા હતા. આ વિસ્તારના લોકોની યાતના ધ્યાને લઇને વોર્ડ નં. ૫ના કોંગ્રેસ સક્રિય જાગૃત નગરસેવક શ્રીમતી દક્ષાબેન ભેસાણીયાએ તેમની ગ્રાન્ટમાંથી છપ્પીયા નવાગામ વિસ્તારમાં ૪ ઇંચની પીવાના પાણીની પાઇપ લાઇન મંજુરી કરાવતા કોંગ્રેસા અગ્રણી અરવિંદભાઇ ભેંસાણીયા, જીતેન્દ્ર રૈયાણી, ચાંદનીબેન લીંબાસીયા, પુર્વ ડેપ્યુ. મેયર મોહનભાઇ સોજીત્રા તથા  પુર્વ ડેપ્યુ. મેયર ભરતભાઇ મકવાણા, રણછોડભાઇ સાકરીયા, નારણભાઇ શિયાળ, પિયુષભાઇ લીંબાસીયા, કશ્યપભાઇ ભેંસાણીયા તથા રાજેભાઇ લીંબાસીયાની ઉપસ્થિતીમાં ખાત મુર્હુત કરાયુ હતુ.

(3:43 pm IST)