Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

ભકિતનગર સર્કલ બગીચાની અવદશા

ભકિતનગર સોસાયટીમાં આવેલ મીલન બગીચામાં ઘણા સમયથી કચરાના ઢગલાઓ અને ભાંગેલી બેન્ચો પડી છે. સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનની ખાલી મોટી-મોટી વાતો જ કરવામાં આવે છે. સફાઇકામ કરવામાં કોઇપણ જાતનું ધ્યાન દેવામાં આવતુ નથી. પરિણામો આસપાસના રહેવાસીઓને ઘણી બધી તકલીફો પડે છે. પુરા રાજકોટની આજ પરિસ્થિતિ છે. ત્વરીત સફાઇ કાર્ય હાથ ધરવા કોંગ્રેસ આગેવાન માણસુરભાઇ વાળા વોર્ડ નં. ૧૪ પ્રમુખ, વિજયભાઇ જાની તથા બિજલભાઇ ચાવડડીાય, રોહિતભાઇ બોરીચા, રવિભાઇ ડાંગર, નિરવભાઇ કિયાડા, જયદીશભાઇ જોષી, સહદેવભાઇ ચાવડીયા, જીતુભાઇ સોની, જયદીપભાઇ વાંક, જગદીશભાઇ સાગઠીયા, નરેશભાઇ સાગઠીયા, દિપેનભાઇ ભગદેવ, મયુરસિંહ પરમાર, ઋષિરાજસિંહ પરમાર, વીડી વ્યાસ, પરેશભાઇ પાટડીયા દ્વારા માંગણી ઉઠાવાઇ છે.

(4:50 pm IST)