Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

કોરોના મુકત થયા પછી પણ ડીપ્રેશનમાં શિવાજી પાર્કના જગાભાઇએ આપઘાત કર્યો'તો

ગઇકાલે બેડી ચોકડી પાસેથી ફુલાયેલી લાશ ઓળખાતા બહાર આવેલી વિગતો

રાજકોટ, તા., ૧૩: મોરબી રોડ શિવાજી પાર્કમાં રહેતા ભરવાડ યુવાન કોરોના મુકત થયા પછી પણ ડીપ્રેશનના કારણે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનું ખુલ્યું છે.

મળતી વિગત મુજબ બેડી ચોકડીથી સોખડા ચોકડી જતા રોડ પર ઓવરબ્રીજ પાસે ગઇકાલે એક અજાણ્યા યુવકની કોહવાયેલી લાશ મળી આવતા કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઇ જે.કે.પાંડાવદરા તથા હેડ કોન્સ. હમીરભાઇ સહીતના સ્ટાફે  સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન મોરબી રોડ શિવાજી પાર્કમાં રહેતા જગાભાઇ ગીગાભાઇ ટોળીયા (ઉ.વ.૪પ) હોવાનું ખુલ્યું હતું. મૃતક જગાભાઇને સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્ર છે. તે ચાની કેબીન ધરાવતા હતા તેને એકાદ મહીના પહેલા કોરોના પોઝીટીવ આવ્યા બાદ તે સાજા પણ થઇ ગયા હતા.

તે પછી પણ તે ડીપ્રેશનમાં રહેતા હતા અને ગત ગુરૂવારે તે ઘરેથી નીકળી ગયા બાદ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે.

(2:40 pm IST)