Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

માધાપર ચોકડી પાસે રાત્રે જાહેરમાં બખેડો કરતા છને પોલીસે દબોચ્યા

વિનોદ છૈયા, દિનેશ છૈયા, જયેશ ટીડાણી, જયેશગીરી ગોસ્વામી, ઘનશ્યામ વનપરા અને જીજ્ઞેશ સોલંકીની ધરપકડઃ કર્ફયુ ભંગની પણ કાર્યવાહી કરાઈ

રાજકોટ, તા. ૧૪ :. જામનગર રોડ માધાપર ચોકડી પાસે રાત્રે લાકડી-ધોકા સાથે જાહેરમાં બખેડો કરતા છ શખ્સોને ગાંધીગ્રામ પોલીસે પકડી લીધા છે.

 

મળતી વિગત મુજબ જામનગર રોડ માધાપર ચોકડી પાસે સોમનાથ પેટ્રોલ પંપ સામે રોડ પર રાત્રે કેટલાક શખ્સો જાહેરમાં ઝઘડો કરતા હોવાની કોઈએ જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકના એ.એસ.આઈ. મહેશભાઈ લુવા, અમીનભાઈ, કનુભાઈ, સંજયભાઈ કુમારખાણીયા તથા ભરતભાઈ ચૌહાણ સહિતે તાકીદે સ્થળ પર પહોંચી જાહેરમાં બખેડો કરતા હાપા ગામના વિનોદ હરીભાઈ છૈયા (ઉ.વ. ૨૫), દિનેશ હરીભાઈ છૈયા (ઉ.વ.૨૮), નાકરાવાડી ગામના જયેશ દિપકભાઈ ટીડાણી (ઉ.વ. ૨૫), સાધુ વાસવાણી રોડ ત્રિલોક પાર્ક, આર.એમ.સી. કવાર્ટર બ્લોક નં. ૨૦ કવાર્ટર નં. ૧૦૩૮ના જયેશગીરી ચુનીગીરી ગોસ્વામી (ઉ.વ. ૨૬), નાકરાવાડી ગામના ઘનશ્યામ સોમાભાઈ વનપરા (ઉ.વ. ૨૨) અને ગવરીદડના જીજ્ઞેશ વિજયભાઈ સોલંકી (ઉ.વ. ૨૯)ને પકડી લઈ જાહેરમાં સુલેહ-શાંતિનો ભંગ કરી બખેડો કરવા તેમજ કર્ફયુ ભંગ કરવા બદલ તમામની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.

(3:03 pm IST)