Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

રેસકોર્ષ રીંગ રોડના જાહેર શોૈચાલયના કર્મચારી મનીકાંતને રંજનકુમારે ઘુસ્તાવ્યા

તમે કેમ મારા શેઠને ખોટી વાતો કરે છે? કહી બાલભવન સામેના શોૈચાલયના કર્મચારીનો ડખ્ખો

રાજકોટ તા. ૧૪: રેસકોર્ષ રીંગ રોડ ગેલેકસી સિનેમા સામે આવેલા શોૈચાલયમાં નોકરી કરતાં મુળ બિહારને આધેડને બાલભવન સામેના શોૈચાલયમાં કામ કરતાં શખ્સે ગાળો દઇ માર મારી છરી ઉગામતાં ફરિયાદ થઇ છે.

આ અંગે પોલીસે ગેલેકસી સિનેમાની સામે આવેલા જાહેર શોૈચાલયમાં નોકરી કરતાં મનીકાંત બાબુભાઇ બ્રાહ્મણ (ઉ.વ.૪૮)ની ફરિયાદ પરથી રેસકોર્ષ અંદર બાલભવનની સામે આવેલા જાહેર શોૈચાયલમાં નોકરી કરતાં રંજનકુમાર બિરેન્દ્રસિંગ રજપૂત સામે આઇપીસી ૩૨૩, ૫૦૪, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.

મનીકાંતે ફરિયાદમાં જણાવ્યું છે કે તે મુળ બિહારના વતની છે અને હાલ શોૈચાલયમાં નોકરી કરી ત્યાં જ રહે છે. આ શોૈચાલયમાં અગાઉ રંજનકુમાર કામ કરતો હતો. તે સાંજે શોૈચાલયે આવ્યો હતો અને 'તમે કેમ મારા શેઠ પ્રમોદસિંગને મારા વિશે ખોટી વાતો કરો છો, તમારા કારણે મને શેઠે ઠપકો આપ્યો'...તેમ કહી ગાળો દઇ ઢીકા-પાટુનો માર મારી નજીકમાં પતરાની કટાઇ ગયેલી બકાલુ સુધારવાની છરી પડી હોઇ તે મારવા ઉગામતાં તેને મનીકાંતના શેઠ રાજીવભાઇ મિશ્રાએ પકડી લીધો હતો અને પોલીસને જાણ કરતાં પોલીસ આવી ગઇ હતી. એએસઆઇ હરેશભાઇ રત્નોતર અને માયાબેન સાટોડીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(1:04 pm IST)