Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

રસુલપરામાં મકાન ખાલી કરાવવા મામલે પિતા-પુત્ર પર લાકડીથી હુમલો

જામનગર રોડ સ્લમ કવાર્ટરમાં વંદના પર પથ્થરથી હુમલો

રાજકોટ તા. ૧૪: કોઠારીયા સોલવન્ટ રસુલપરા બજરંગ સોસાયટી-૧માં રહેતાં ઓમપ્રકાશ યોગેન્દ્રભાઇ યાદવ (ઉ.વ.૨૭) અને તેના પિતા યોગેન્દ્રભાઇ કલપુભાઇ યાદવ (ઉ.વ.૫૫)ને આ વિસ્તારના લક્ષમણ શીયાળીયા, મઠીયા શિયાળીયા સહિતના લકોએ લાકડીથી માર મારતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. મકાન ખાલી કરાવવા બાબતે હુમલો થયાનું પ્રાથમિક પુછતાછમાં જણાવાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં જામનગર રોડ સ્લમ કવાર્ટર-૫૬માં રહેતી વંદના વિક્રમભાઇ વાઘેલા (ઉ.વ.૧૮)ને નીચેના માળે રહેતાં પરિવારના વિનુભાઇ, રોનક અને અનુભાઇએ ઝઘડો કરી પથ્થરથી ઇજા કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ચોકીના સ્ટાફે પ્ર.નગરમાં જાણ કરી હતી. વંદનાના માતાના કહેવા મુજબ તેના બાથરૂમના પાણીની પાઇપ લાઇનમાં અગાઉ તોડફોડ થઇ હોઇ પાણી ભરાતું હોઇ તે અંગે ફરીથી બોલાચાલી થતાં હુમલો કરાયો હતો.

(1:07 pm IST)