Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

ખાનગી કોવિડ હોસ્પીટલમાં ૩૦ બેડ ખાલી છેઃ ૮,૪૦૦ થી ર૧,પ૦૦ રોજનો ચાર્જ

વધુ ચાર્જ વસુલતી હોસ્પીટલો સામે ફરિયાદ નોંધાવવા સીટી પ્રાંત અધિકારીની અપીલ

રાજકોટ તા. ૧૬: શહેરમાં ખાનગી કોવિડ હોસ્પીટલોમાં બેડ ખાલી નથી અને ચાર્જ વધુ લેવામાં આવે છે તેવી લોક ફરિયાદો ઉઠી છે ત્યારે સીટી પ્રાંત અધિકારીએ લોકોને નહીં ગભરાવા અપીલ કરી છે. જો કોઇ જગ્યાએ વધુ ચાર્જ લેવાતો હોય તો કન્ટ્રોલ રૂમની હેલ્પલાઇનમાં ફોન નં. ૯૪૮૪૬ ૦૮પ૧૪ ત્થા ૯૩ર૮૯ ૭૧૧પપ માં જાણ કરવા જણાવાયું છે.

આ ઉપરાંત તેઓએ જણાવ્યું છે કે નાગરિક બેંક ચોક, ભકિતનગર સર્કલ, ઢેબર રોડ ખાતે સૌરાષ્ટ્ર કોવિડ હોસ્પીટલમાં ૩૦ બેડ ખાલી છે. જેમાં સરકારનાં ધારા ધોરણ મુજબ જનરલ વોર્ડમાં પ્રતિ દિન રૂ. ૮૪૦૦/- ઓકસીજન-મોનીટર વાળા વોર્ડમાં ૧૧,પ૦૦ પ્રતિદિન અને આઇ.સી.યુ.માં ૧૭,૮૦૦ પ્રતિદિન તેમજ વેન્ટીલેટરવાળા વોર્ડમાં પ્રતિદિન ર૧,પ૦૦નો ચાર્જ નિયત કરાયો છે.

(4:03 pm IST)