Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

રણુજા મંદિર પાસે વેલનાથપરામાં દેરાણી-જેઠાણીના પરિવાર વચ્ચે ધમાલઃ તોડફોડ

એક બીજા પર આક્ષેપોઃ મંજુબેન અને કિરણબેન સારવાર માટે દાખલ

રાજકોટ તા. ૨૨: કોઠારીયા રણુજા મંદિર પાસે વેલનાથપરા-૩માં રહેતાં મંજુબેન દિપકભાઇ કાલીયા (ઉ.વ.૪૫) અને તેના દેરાણી કિરણબેન વિક્રમભાઇ કાલીયા (ઉ.વ.૪૧)ના પરિવારો વચ્ચે મારામારી થતાં બંનેને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાવામાં આવી હતી.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે આજીડેમ પોલીસને જાણ કરી હતી. મંજુબેને આક્ષેપો કર્યા હતાં કે દારૂના ધંધા બાબતે બોલાચાલી થતાં દેરાણી કિરણ, દિયર સહિતનાએ ઘરમાં તોડફોડ કરી હતી અને ધોકાથી હુમલો કર્યો હતો. જેમાં વિક્રમ, પાર્થ, ભાવેશ સહિતના પણ સામેલ હતાં.

સામા પક્ષે કિરણબેને પણ પોતાના પર જેઠાણી મંજુબેન, જેઠ દિપકભાઇ તેના દિકરા સહિતે હુમલો કર્યાનો આક્ષેપ કર્યો હતો. પોલીસે સાચુ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

(3:34 pm IST)