Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

આજથી મહેસૂલ કર્મચારીઓનું વર્ક ટુ રૃલ

એકપણ પ્રશ્નનો નિવેડો નહીં આવતા રાજકોટના ૩પ૦ કર્મચારી જોડાયા : મહેસુલ સિવાય અન્ય કોઇ કામગીરી નહિ કરે : મગફળી ખરીદીની કામગીરીનો બહિષ્કાર

રાજકોટ, તા.ર૧ : રાજકોટ સહિત રાજયભરના હજારો મહેસુલ કર્મચારીઓ કલાર્ક-પટ્ટાવાળા-નાયબ મામલતદારોએ એલાને જંગ આજથી આદર્યું છે. મહેસુલ કર્મચારી મહામંડળનો આદેશ આવતા આજથી રાજકોટ ઉપરાંત રાજયભરમાં મહેસૂલ કર્મચારીઓનું વર્ક ટુ રૃલ શરૃ થયું છે. બીજો આદેશ ન આવે ત્યાં સુધી ચાલુ રહેશે.

રાજકોટ જીલ્લા પ્રમુખ શ્રી કિરીટસિંહ ઝાલાએ 'અકિલા'ને જણાવ્યું હતું કે, મહેસુલી કામગીરી સિવાય એકપણ કામગીરી નહિ કરાય, આને કારણે મગફળી ખરીદી કામગીરીમાં પણ બહિષ્કાર થતા ભારે વિલંબ થઇ શકે છે. તેમણે જણાવેલ કે અમારા એકપણ પ્રશ્નનો નિવેડો આવ્યો નથી. પગાર-બઢતી-બદલી-ભરતી સહિતના એક ડઝન પ્રશ્નો અંગે સરકારે કોઇ નિર્ણય નહિ લેતા વર્ક ટુ રૃલ શરૃ કરાયું છે. જો સરકાર યોગ્ય નહિ કરે તો બેમુદતી હડતાલ પણ આવી શકે છે.

(3:04 pm IST)