Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

ગાંધીગ્રામ શાસ્ત્રીનગરની આંગણવાડીમાં હેલ્પર સોનલબેન નિમાવતને માર પડ્યો

સંચાલિકા, તેના પતિ અને અન્ય હેલ્પરે ધોલધપાટ કર્યાનો આરોપ

રાજકોટ તા. ૨૪: માધાપર ચોકડી પાસે ડ્રીમવીલા એપાર્ટમેન્ટ ફલેટ નં. ૨૦૨માં રેહતાં સોનલબેન રજનીશભાઇ નિમાવત (ઉ.વ.૩૯) નામના મહિલાને રામાપીર ચોકડી પાસે શાસ્ત્રીનગરમાં આવેલા આંગણવાડી કેન્દ્ર નં. ૫ ખાતે હતાં ત્યારે આંગણવાડીના સંચાલિકા મીનાક્ષીબેન ચાવાડ, તેના પતિ સંજયભાઇ ચાવડા અને હેલ્પર પૂજાબેને મળી ઝઘડો કરી મારકુટ કરતાં સોનલબેન સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે.

આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એન્ટ્રી નોંધાવી હતી. સોનલબેનના કહેવા મુજબ બાળભોગ  વિતરણ કરવા બાબતે માથાકુટ કરી પોતાના પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

(4:18 pm IST)