Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

સુપ્રસિદ્ધ ગાયક મુકેશજીના અવાજનો પર્યાય ગણાતા બોલીવુડ સિંગર ડો. કમલેશ આવસત્થીનું અવસાન

રાજકોટ: દાયકાઓ સુધી સંગીતના ચાહકોને રસ તરબોળ કરનાર ડો. કમલેશ આવસત્થીનું દુઃખદ અવસાન થયું છે. તેમની સ્મશાન યાત્રા આવતીકાલે સવારે ૯ વાગે અમદાવાદથી તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.
સુપ્રસિદ્ધ બોલીવુડ સિંગર મુકેશજીના પર્યાય ગણાતા કમલેશ આવસત્થીએ દાયકાઓ સુધી લોકોને તેમના મધુર કંઠથી રસ તરબોળ કરી દીધા હતા..
 ડો. કમલેશ આવસત્થી તે મીનાબેનના પતિ, ભાઈ ભૂષણ તથા ભાઇ તેજસના પિતાશ્રી, સૌ. નીતિ તથા સૌ. વાણીનાં સસરા, ચિ. જેસલના દાદાનું આજરોજ અવસાન થયેલ છે.
  દિવંગતની અંતિમ યાત્રા આવતીકાલે તા.૨૯/૩/૨૪ ને શુક્રવારના રોજ સવારે ૯ કલાકે તેમના નિવાસસ્થાન 'સ્વર' , સી-૧૫૧, અશોકનગર સોસાયટી, ગેટ નં. ૪, સુંદરવનની પાછળ, જોધપુર ટેકરા. સેટેલાઈટ, અમદાવાદથી થલતેજ સ્મશાન ગૃહે જવા નીકળશે.

(10:21 pm IST)