Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ટંકારામાં પંચરનું કામ કરીને ગુજરાન ચલાવનાર યુવકનો કોરોનાએ ભોગ લીધો

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા, તા.૧૧: ટંકારાના આશાસ્પદ યુવાનનુ કોરાનાથી મોત થયુ, અરેરાટી વ્યાપી ગઇ છે. ટંકારાના આશાસ્પદ યુવાન વિશાલ અનિરુદ્ઘ અગ્રાવત ઉંમર વર્ષ ૩૪ નું કોરાની સારવારમાં મૃત્યુ થાય છે .તેને તારીખ ૧/૯/૨૦૨૦ ના રોજ કોરાના ની સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલ. તેનું તારીખ ૯/૯/૨૦૨૦ના રોજ અવસાન થયેલ છે. તેના મોટા ભાઈને પણ કોરાના પોઝિટિવ આવેલ છે ને સારવાર હેઠળ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છે. વિશાલ અનિરુદ્ઘ અગ્રાવતને સંતાનમાં ઉંમર વર્ષ ૪ તથા ઉંમર વર્ષ ૭ના બે બાળકો છે સાયકલ તથા મોટરસાયકલના પંચર કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. માતા-પિતા તથા કુટુંબ ઉપર આભ તૂટી પડેલ છે.

ટંકારા વિસ્તારમાં આશાસ્પદ યુવાનનું મૃત્યુ થતાં કોરોનાના ભયની લાગણીઓ ફેલાયેલ છે.

(11:41 am IST)