Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

મોરબી રાજપૂત કરણીસેના દ્વારા આવેદનપત્ર

મોરબી : રાજપૂત કરણી સેના મોરબી જીલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા અને શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું છે જેમાં જણાવ્યું છે કે તાજેતરમાં લવજેહાદ અને ધર્માંતરણના કિસ્સાઓમાં વધારો જોવા મળ્યો છે દેશ વિરોધી અને અસામાજિક તત્વો સમાજની સંવાદિતતા જોખમાય તેવી જોખમી પ્રવૃતિઓ આચરી રહ્યા છે હિંદુ ધર્મની માસૂમ બાળાઓને વિધર્મી લોકો ષડ્યંત્રના ભાગરૂપે લલચાવી ફોસલાવી ભગાડી રહ્યા છે આ પ્રકારની પ્રવૃતિઓ પર અંકુશ મુકવા ઉતરપ્રદેશ અને મધ્યપ્રદેશની જેમ ગુજરાતમાં પણ લવ જેહાદ અને ધર્માંતરણને લઈને એક અસરકારક કાયદો તાત્કાલિક બનાવવામાં આવે તેવી માંગ કરી છે તે તસ્વીર.

(11:46 am IST)