Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

ધોરાજીમાં આરએસએસ દ્વારા સદભાવ બેઠક

 ધોરાજી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સમયાંતરે વિવિધ જ્ઞાતિ, જાતી, વિવિધ મંડળો તેમજ સામાજીક સંસ્થાઓના આગેવાનોની બેઠક થતી હોય છે તેજ ક્રમમાં સદભાવ બેઠકનું આયોજન થયેલ હતુ. આ બેઠકમાં બહોળી સંખ્યામાં વિવિધ સમાજના પ્રમુખો અને સામાજીક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સામાજીક સમરસતાના અખિલ ભારતીય સહસંયોજક શ્રી રવિન્દ્ર કિરકોલે પૂના (મહારાષ્ટ્ર)એ ઉપસ્થિત રહી સામાજીક એકતાનું મહત્વ સમજાવ્યુ હતુ તેમજ અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના નિર્માણ માટે સહયોગ આપવા સર્વેને અપીલ કરવામાં આવી હતી. રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન દ્વારા ધોરાજી તાલુકાના ૩૦ ગામો સહિત નગરમાં પણ અભિયાન દ્વારા નિધિસંગ્રહ સાથે હિન્દુ સમાજની જાગૃતિ નિર્માણ થાય તેવી તેમણે અપીલ કરી હતી. આ બેઠકમાં ગોંડલ સહજીલ્લા સંઘચાલક ચંદુભાઇ ચોવટીયા તેમજ ધોરાજી તાલુકા સંઘચાલક કિરણભાઇ હરપાળ ઉપરાંત જીલ્લા અને તાલુકાના અન્ય અધિકારીઓ તેમજ સ્વયંસેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક મળી તે તસ્વીર

(11:48 am IST)