Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

ભાવનગરમાં વધુ ૮ કેસ, ૮ કોરોનામુકત

કુલ ૫,૯૩૩ કેસો પૈકી ૩૬ દર્દીઓ સારવાર હેઠળ

ભાવનગર તા.૧૨ : જિલ્લામા વધુ ૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૯૩૩ થવા પામી છે. જેમાં શહેરી વિસ્તારમા ૭ પુરૂષ મળી કુલ ૭ કેસ નોંધાયા છે. જયારે તાલુકાઓમા વલ્લભીપુર ખાતે ૧ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

 મહાનગરપાલિકાના ૬ તેમજ તાલુકાઓના ૨ એમ કુલ ૮ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૫,૯૩૩ કેસ પૈકી હાલ ૩૬ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૫,૮૨૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૯ દર્દીઓના અવસાન થયેલ છે.

(11:56 am IST)