Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

૧૫મીના રોજ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્‍તે જામનગરમાં વિકાસકાર્યોના લોકાર્પણ/ ખાતમુહુર્ત કરાશે

જામનગર,તા.૧૨ :  આગામી ૧૫ જાન્‍યુઆરીના રોજ મુખ્‍યમંત્રી  વિજયભાઈ રૂપાણીના હસ્‍તે જામનગર ખાતે વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ/ખાતમુહૂર્ત કરવામાં આવશે.  આ કાર્યક્રમ અન્‍વયે કલેકટર કચેરી ખાતે કલેક્‍ટર રવિશંકરના અધ્‍યક્ષસ્‍થાને આજરોજ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કાર્યક્રમની વ્‍યવસ્‍થાઓ, સ્‍થળ પરની સુરક્ષા વગેરે બાબતોના આયોજન વિશે ચર્ચા કરાઇ હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, કમિશનર સતિષ પટેલ, અધિક નિવાસી કલેકટર રાજેન્‍દ્ર સરવૈયા તથા પ્રાંત અધિકારીઓ, અન્‍ય સંલગ્ન કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:55 pm IST)