Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

પોરબંદરમાં સંક્રાતિ પૂર્વે દુકાનોમાં મીઠાઈ જથ્‍થાનું ચેકિંગ કરવા માગણી

પોરબંદર, તા. ૧૨ :. મકરસંક્રાતિ પૂર્વે મીઠાઈની દુકાનોમાં મીઠાઈ જથ્‍થાની ગુણવત્તા અંગે ચેકીંગ હાથ ધરવા સામાજિક કાર્યકર દિનેશભાઈ થાનકીએ માગણી કરી છે. તેમણે જણાવેલ કે કેટલીક દુકાનોમાં અગાઉથી બનાવેલી મીઠાઈનું વેચાણ થઈ રહ્યુ છે જે આરોગ્‍ય માટે નુકસાનકારક થઈ શકે છે.

કર્મચારીઓ માસ્‍ક પહેરતા નથી...!

સામાજિક કાર્યકર અને બ્રાહ્મણ સુપ્રીમ કાઉન્‍સીલના પ્રમુખ દિનેશભાઈ થાનકીએ કેટલીક કચેરીઓમાં સ્‍ટાફ પુરતા માસ્‍ક પહેરતા ન હોય તપાસ કરીને પગલા લેવા માગણી કરી છે.

 

(1:04 pm IST)