Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

મોરબીના ધર્મગુરૂના ત્રાસથી વાડીનારની પરિણીતાનો આપઘાત

પરિણીતાને ફોન કરી ગર્ભિત ધમકીઓ આપતા ગળેફાંસો ખાધોઃ મૃતકના પિતાએ ધર્મગુરૂએ મરવા મજબુર કર્યાની ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યોઃ અગાઉ પણ ધર્મગુરૂ બાઉદીન સદરૂમીયા પીરજાદા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવાઇ હતી

(કૌશલ સવજાણી દ્વારા)  ખંભાળિયા તા.૧ર : વાડીનાર ધારમાં રહેતી સીરીનબેન ઝબારભાઇ ચમડીયા (ઉ.વ.૩૦) નામની વાધેર પરિણીતાએ ગત તા.૯ના રોજ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં બનાવની જાણ થતાં વાડીનાર પોલીસ દોડી જઇ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી કરી હતી. બનાવના પગલે મૃતક પરિણીતાના પિતા કરીમભાઇ અબ્દુલભાઇ સંધારની ફરિયાદ પરથી પોલીસે મોરબીના ઝીજૂડા ગામે રહેતા ધર્મગુરૂ બાઉદીન સદરૂમીયા પીરજાદા સામે સીરીનબેનને મરવા મજબુર કર્યાનો ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં જણાવ્યું છે કે દિકરી અહીં ગામમાં જ સાસરે છે અને જમાઇ ઝબારભાઇ પહેલા જેટીમાં નોકરી કરતાં હતાં. લોકડાઉન બાદ દુબઇ કામ માટે ગયા છે. સંતાનમાં પાંચ વર્ષનો પુત્ર છે. પુત્રીને મોરબીના ઝીંઝૂડા ગામે રહેતાં ધર્મગુરૂ બાઉદીન સદરૂમીયા પીરજાદાએ અગાઉ પણ ઇન્સટાગ્રામમાં દિકરીના નામનું ખોટું આઇડી બનાવી બદનામ કરવા માટે ફોટા વાયરલ કર્યા હતાં. જે અંગે વાડીનાર પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બાઉદીન સદરૂમીયા પીરજાદાએ અગાઉ પણ ઇન્સ્ટાગ્રામમાં દિકરીના નામનું ખોટુ આઇડી બનાવી બદનામ કરવા માટે ફોટા વાયરલ કર્યા હતાં. જે અંગે વાડીનાર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બાઉદીન સદરૂમીયા પીરજાદા વિરૂધ્ધ સાઇબર ક્રાઇમ હેઠળ ગુનો નોંધી અટકાયત કરી હતી. એ પછી પણ ગત તા.૯ના રાત્રીના પુત્રી સીરીનને ફોન કરી એકદમ ગુસ્સો કરી રાડો નાખી  તેમને તથા પરિવારને નુકસાન પહોંચે તે રીતેની ગર્ભિત ધમકી આપતા દિકરી સિરીને આપઘાત કર્યો હતો. બનાવના પગલે વાડીનાર પોલીસે ગુનો નોંધી ધર્મગુરૂ બાઉદીન સદરૂમીયા પીરજાદાની શોધખોળ હાથ ધરી છે.

(1:14 pm IST)