Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

મોરબીની સો ઓરડીમાં અભ્‍યાસ મામલે ઠપકો આપતા સગીરાનો આપઘાત

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧૨ : સો ઓરડી વિસ્‍તારમાં રહેતી સગીરાને પરિવારે અભ્‍યાસ મામલે ઠપકો આપતા લાગી આવતા સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

મોરબીના સો ઓરડી વિસ્‍તારમાં રહેતી મિતલ હિતેશભાઈ સાગઠીયા (ઉ.વ.૧૭) નામની સગીરાએ પોતાના રૂમમાં પંખા સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે જે બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડ્‍યો છે તો બનાવ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મૃતક સગીરા કોલેજના પ્રથમ વર્ષમાં અભ્‍યાસ કરતી હતી જે જીદી સ્‍વભાવની હોય અને છેલ્લા ઘણા સમયથી એકલી બેસી રહેતી હતી અને અભ્‍યાસના ટેન્‍શનમાં રહેતી હોય જેને ઘરના કામમાં ધ્‍યાન દેતી હોય જેથી અભ્‍યાસમાં ધ્‍યાન દેવા ઘરના સભ્‍યો કહેતા હોય જેથી લાગી આવતા આપઘાત કર્યાનું ખુલ્‍યુ છે બી ડીવીઝન પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:20 pm IST)