Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

અંજારના વીરા-સંઘડ રોડ પર બે બાઈક વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિનાં મોત : એક ગંભીર

ગાંધીધામઃ અંજાર તાલુકાના વીરાથી સંઘડ ગામ આવતા માર્ગ પર બે બાઈકચાલકો સામસામે ટકરાતાં બે જણનાં મોત થયાં છે. જ્યારે એક જણ ગંભીર રીતે ઘાયલ થયો છે. ગત રાત્રે સાડા આઠ વાગ્યાના અરસામાં ઘટેલી દુર્ઘટના અંગે આજે સાંજે પોલીસે વિધિવત્ ફરિયાદ દર્જ કરતાં બનાવ બહાર આવ્યો છે.

સંઘડ ગામે રહેતાં રમેશ માદેવભાઈ કોવાડીયા (આહીર)એ ઘટના અંગે GJ-12 DP-7346 ના ચાલક સામે પ્રાણઘાતક અકસ્માત સર્જી પોતાના મોટાભાઈનું મોત નીપજાવવાની તેમજ નાના ભાઈને ગંભીર ઈજા પહોંચાડવાની ફરિયાદ નોંધાવી છે. રમેશભાઈના મોટાભાઈ હિરાભાઈ અને નાના ભાઈ માવજીભાઈ બંને વીરાથી મોટર સાયકલ પર વીરાથી સંઘડ આવતા હતા ત્યારે સામેથી રોંગ સાઈડમાં ધસમસતી આવી રહેલી મોટર સાયકલ તેમની બાઈક સાથે અથડાઈ હતી. જેમાં તેમના મોટાભાઈ હિરાનું મોત નીપજ્યું હતું. જ્યારે, નાના ભાઈ માવજીને ગંભીર ઈજાઓ થતાં તે બેશુધ્ધ છે. સામેથી આવી રહેલાં બાઈક પર પણ બે જણાં સવાર હતા જે પૈકી એકનું મોત નીપજ્યું છે

(12:00 am IST)