Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

સુરેન્દ્રનગર : રોગચાળો ન વકરે તે હેતુથી નગરપાલિકા દ્વારા સફાઇ ઝુંબેશ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૧૨ : સુરેન્દ્રનગર જીલ્લામાં રોગચાળો ન વકરે તે હેતુથી સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ નગરપાલિકા દ્વારા શહેરમાં શહેરી વિસ્તારોમાં જે ગંદકીનું સામ્રાજય છે તે દૂર કરવામાં આવી રહ્યું છે જેમાં ખાસ કરીને શહેરી વિસ્તારોમાં આવેલા ઉકરડાઓ અને જે શહેરી વિસ્તારોમાં ગંદકી ફેલાઈ રહી છે જેને નગરપાલિકા દ્વારા સાફ-સફાઈ કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેમાં ખાસ કરીને શહેરી વિસ્તારોમાં રોગચાળો ન વકરે તે હેતુથી નગરપાલિકાના ચીફ ઓફિસર સંજયભાઈ પંડ્યાની સૂચનાથી શહેરમાં વિવિધ સ્થળોએ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સફાઈ કર્મચારીઓ ની મદદથી ગંદકી દૂર કરવામાં આવી રહી છે.

 નવા જંકસન વિસ્તાર માં આવેલ અલ્કા સોસાયટી તેમજ શકિત પરા વિસ્તાર માં ચીફ ઓફિસર સંજયભાઈ પંડ્યાની સૂચના અનુસાર આઇ દેરાસર ના એ.એસ. આઇ વૈષ્ણવ મનોજ ભાઈ તેમજ કાનાભાઈ મોરી તેમજ અભિષેક ભાઈ પરમાર દ્વારા પોલીસ પ્રોટેકશન સાથે નવા જંકશન વિસ્તારમાંથી ૨૦ ટ્રેકટર છાણ જેસીબીની મદદથી કમ્પોઝ સાઇડ પર નિકાલ કરવા માં આવ્યો હતો.

(11:42 am IST)