Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

મોરબીઃ કેદીઓને માનસિક સ્વાસ્થ્ય વિશે સમજ આપી

 મોરબીઃ ૧૦ ઓકટોબર એટલે કે વિશ્વમાનસિક આરોગ્ય દિવસની જનરલ હોસ્પિટલ મોરબી અંતર્ગત ચાલતો નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ અને દિવ્ય જયોતી ગ્રામ વિકાસ કેળવણી મંડળ અને માનસિક રોગ વિશેની સમજ આપવા એક નાટક પ્રસ્તુત કરીને જેલમાં રહેતા કેદીઓને માનસિક સ્વાસ્થ્ય વિશેની સમજ આપવામાં આવી હતી. આ રીતે વિશ્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણી કરી  હતી. આ કાર્યક્રમમાં સિવીલહોસ્પિટલના ડો. હિરેન મોર (સાયકાટ્રીસ્ટ) દિવ્યા ગોહેલ (કલીનિકલ સાયકોલોજીસ્ટ) હિતેશ પોપટાણી (સાયકાટ્રીક સોશ્યલ વકર્ર) સેવા આપી હતી. માનસિક સ્વાસ્થ્ય વિશેસમજ અપાઇતે તસ્વીર.

(11:44 am IST)