Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

ભાવનગરમાં નોખા માણસ માટે અનોખો શ્રધ્ધાંજલિ કાર્યક્રમ

ભાવનગર : શહેરમાં ડો ભવભૂતિ પારાશર્ય શ્રદ્ઘાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. પક્ષી પ્રેમી નાગરિકો દ્વારા ડો. તેજસ દોશી, ડો ઇન્દ્ર ગઢવી, ડો પીપી ડોડિયા, ડો આશિષ શુકલા, એમ એચ ત્રિવેદી સહીત અંદાજે ૨૦ થી વધુ વ્યકિતઓ ડો પારાશર્ય ને શ્રદ્ઘાંજલિ આપવા વિકટોરિયા પાર્ક કૃષ્ણકુંજ તળાવ કાંઠે ભેગા થયા પક્ષી નિરિક્ષણ નો કાર્યક્રમ કરી ડો પારાશાર્યને શ્રદ્ઘાંજલિ આપી હતી જેમણે જીવન પર્યંત વેટલેન્ડ માટે કામ કર્યું તેમને છાજે તેવી જ શ્રદ્ઘાંજલિ અર્પી. સૌએ ડો.પારાશાર્યને હૃદયથી યાદ કર્યા જુના સંસ્મરણો વાગોળ્યા,, બે મિનીટ નું મૌન પાળી તેમના પવિત્ર આત્મ ની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

(11:44 am IST)