Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

જુનાગઢમાં દામોદર કુંડને રપ૧ ચુંદડી ઓઢાડાઇ : મનોરથ પૂર્ણ કરવા ભકતો દ્વારા પ્રાર્થના

જુનાગઢ રાધા દામોદરજી મંદિર ટ્રસ્ટ દ્વારા અધિક માસ નિમિતે દામોદર કુંડે રપ૧ ચૂંદડી ઓઢાડવાના મનોરથનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દામોદર કુંડને રપ૧ ચૂંદડી ઓઢાડવામાં આવી હતી. મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉમટી પડયા હતાં અને મનોરથના દર્શન કર્યા હતાં. જોકે, સામાન્ય રીતે નદીઓને ચૂંદડી ઓઢાડાઇ છે, ત્યારે દામોદર કુંડ સોનરખ નદી પર આવેલો છે.ચૂંદડી ઓઢાડાઇ હતી ત્યારે જાણે કે, દામોદરકુંડે યમુના સ્વરૂપ ધારણ કર્યું હોય તેવું દ્રશ્ય ખડું થયું હતું અને ચુંદડી ઓઢાડી ભકતોએ પોતાના મનોરથ પૂર્ણ કરવાની પ્રાર્થના કરી હતી.

(1:05 pm IST)