Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

રોજબરોજના અનુભવમાંથી શીખવા મળેલ કોરોના વિશેની થોડીક અપડેટ

અવલોકન નં. ૧

રેપીડ એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ તો ૧૦૦ ટકા કોરોના. અન્ય કોઈ ટેસ્ટની જરૂર નથી.

અવલોકન નં. ૨

રેપીડ ટેસ્ટ નેગેટીવ હોય તો પણ ૫૦ ટકા chance છે કે કોરોના હોય. માટે રેપીડ ટેસ્ટ નોર્મલ હોય તો કોરોનાના નિદાન માટે RT PCR અથવા CT સ્કેન  કરાવવું..(CT Scan વધારે પડતો વહેલા કોઈ જ લક્ષણ વગર કરાવવામાં આવે તો નોર્મલ આવે છે....એટલે જાતે જાતે ડોકટરને પૂછ્યા વગર ct scan કરાવવા  જવું નહીં.

આજે ઘણા લોકો રેપીડ એન્ટીજન પોઝિટિવ આવે એટલે જાતે ct scan કે RT PCR  કરાવી આવે છે.અને એમાં કશું જ આવતું નથી હોતું કેમકે દર્દી માં કોઈ ખાસ વધુ લક્ષણ હોતા નથી... CBC; CRP પણ નોર્મલ આવે છે.. (CRP કોરોના સિવાય ચિકનગુનિયા, ડેન્ગ્યુ, ટાયફોઈડ કે કે ન્યુમોનિયા કે સાદા ગુમડામાં કે પેશાબમાં પરૂ, લીવરમાં પરૂ જેવા ઘણા રોગમાં વધી જાય છે.. crp વધે એટલે જ કોરોના એવું જરૂરી નથી..)

 CTSCAN, RTPCR, CRP નોર્મલ આવે એનો મતલબ એમ નથી કે તમને કોરોના નથી.એક વાર રેપીડ પોઝિટિવ તો જ આવે એનો મતલબ એમ જ કે તમારા અંદર વાયરસ છે જ.. હા તમારામાં એટલા વધુ વાયરસનો લોડ નથી કે જેથી તમારામાં વધુ લક્ષણ પેદા કરી શકે..પણ તમારાથી બીજાને ચેપ તો ફેલાઈ શકે જ છે.

અવલોકન નં. ૩

(A) રેપીડ એન્ટીજનની પ્રમાણિતતા ૫૦%, (B) RT PCR ની ૬૭-૭૦% અને  (C) CT SCAN ની ૭૫-૮૫% છે.. હવે આનો મતલબ એમ થાય કે ૧૦૦ કોરોનાના સાચા પોઝિટિવ  દર્દીના ફરી RAPID કરો તો ૫૦% કેસમાં નેગેટિવ આવશે.. એટલે તમારો એક જગ્યાએ રેપીડ પોઝિટિવ આવ્યો છે તો બીજી જગ્યા એ નેગેટિવ પણ આવી શકે છે.. તો તમે નેગેટિવ છો એવું સમજવાનું નથી....એવું જ RT PCR અને CT SCANનું છે..

મતલબ સાફ છે કે એક વાર તમે રેપીડ  પોઝિટિવ આવ્યા એટલે બધું જ ભૂલીને મને કોરોના છે જ એવું સ્વીકારી લો અને QUARANTINE થઇ જાવ અને જો તકલીફ વધુ હોય અને ડોકટર દાખલ થવાનું કહે તો દાખલ થઈ જાવ જો તમે QUARENTINE નહિ થાવ અને તમને કદાચ કોઈ પણ લક્ષણ નહિ હોઈ..પણ તમે બીજા ને ચેપ ફેલાવશો જ અને તમારાથી કોઈ મોટી ઉંમરના, નાના બાળકો કે સગર્ભા  સ્ત્રીને ચેપ લાગી જશે તો  એ લોકો વધુ સિરિયસ થઈ જશે. તમે તો સારી IMMUNITY હશે તો થોડા જ દિવસ પછી નેગેટીવ પણ થઈ જશો. પણ તમારા લીધે કોઈ બીજા ના જીવ ને જોખમમાં ના મુકવો જોઈએ તેની કાળજી રાખો તેમ પ્રદીપભાઈ ખીમાણીએ અપીલ કરી છે.

અવલોકન નં. ૪

હવે વાયરસનું જોર ઓછું થયું છે એવું ઘણા કહે છે એનું કારણ એ છે કે લોકોમાં હવે DIRECTLY કે INDIRECTLY, Herd immunity બનતી જોવા મળી રહી છે.

ઘણા એવું પૂછતાં હોઈ છે કે કોરોના કયારે જશે..??? તો એનો એક જ જવાબ છે બધાને એક વાર થશે ત્યારે અથવા કમ સે કમ ૫૦% લોકો ને થશે ત્યારે મતલબ એકવાર તમારામાં એન્ટિબોડી આવી જશે તો બીજાને ફેલાવવાનું ઓછું થઈ જશે..એટલે બીજાને લાગશે નહિ.. અને એક વાર મોટા ભાગનાને થઈ જશે પછી આપણું શરીર ફલૂના વાયરસની જેમ આ વાયરસ  સાથે પણ ટેવાય જશે અને લડતા શીખી જશે. હા આ વાયરસ થોડો ખતરનાક એટલા માટે કહેવાય કે એ સીધો ફેફસા પર જ હુમલો કરે છે અને ઘણા લોકોના ફેફસામાં કાયમી નુકસાન કરી નાખે છે જેને fibrosis ફાઈબ્રોસિસ કહેવાય છે..જે સામાન્ય રીતે TB ના જુના દર્દીમાં જોવા મળતું હોય છે. એટલે જે લોકો અનુલોમ વિલોમ અને કપાલભાતિ  વગેરે જેવો યોગા પ્રાણાયામ રેગ્યુલર કરશે એ લોકોના ફેફસા મજબૂત બનશે અને એમને જોખમ ઓછું રહેશે..

અવલોકન નં. ૫

એક વખત રેપીડ એન્ટીજન પોઝિટિવ આવે તો જલ્દી ઓફિસ કે દુકાન કે જોબ પર ચડવા માટે લોકો બીજી વાર ટેસ્ટ કરવામાં ઘણા ઉતાવળા થઈ જતા હોય છે....પણ ૧૪ દિવસ isolation ના પુરા થાય અને કોઈ જ લક્ષણ ના હોઈ તો જ  રેપીડ એન્ટીજન કરાવવો જોઈએ પણ એ વખતે અવલોકન નંબર ૧ ધ્યાનમાં રાખવું જોઈએ.. એના કરતાં બને તો એન્ટિબોડીનો રિપોર્ટ કરાવવો વધુ સલાહ ભર્યો છે. (કેમ એ નીચે વાંચો સમજાય જશે)

અવલોકન નં. ૬

એક વાર કોરોના થઈ જાય એટલે કોરોનાના વાયરસની સામે લડવા માટે  એન્ટિબોડી શરીરમાં બની જતા હોય છે... હવે આ કોરોના એક વખત લગભગ બધા જ લોકોને થઈ જશે એટલે લગભગ મોટાભાગના લોકોમાં એના એન્ટોબોડી બની જ જવાના છે.. આ એન્ટિબોડી એટલે એક પ્રકારની આર્મી , સૈનિક કે જે કોરોના સામે આપણને રક્ષણ આપશે.. એટલે ભવિષ્યમાં જેટલી વાર કોરોનાના વાયરસ હુમલો કરશે તો આપણું  શરીર એની સામે લડવા માટે સજ્જ રહેશે એટલે કોરોનાના વાયરસ આપણું કાઈ બગડી શકશે નહિ( હા ડાયાબિટીસ, બ્લડપ્રેશર, મોટી ઉંમર, વધુ વજન,હાર્ટ કિડની લીવરની બીમારી કેન્સરના દર્દીઓને તકલીફ ઊભી કરી શકે છે.) સૌથી મહત્વની વાત એન્ટિબોડીનો રિપોર્ટ એકવાર કોરોના થાય પછી કમ સે કમ ૨૧થી ૨૮ દિવસ પછી જ કરાવવો અને એક વાર એન્ટિબોડી બની જાય તો તમે પ્લાઝમા ડોનેટ કરી શકો છો.. પ્લાઝમા ડોનેશનમાં તમારૂ આખું જ લોહી નથી લેતા પણ એમાંથી પ્લાઝમા અલગ કરી નાખે છે.. એક વ્યકિતના પ્લાઝમા ડોનેશનથી બે વ્યકિતને જીવનદાન આપી શકાય છે..

અવલોકન નં. ૭

ઘણા એમ કહેતા હોય છે કે મને ઘણા દિવસ પહેલા મોંમાંથી સ્વાદ કે સ્મેલ નહોતા આવતા એવું બનેલું અથવા એક કે બે દિવસ ઝીણો તાવ આવેલો આ બધા લક્ષણો કોરોનાના હોઈ શકે છે.. મારા ધ્યાનમાં એવા ૧૦-૧૨  કિસ્સા છે કે જે લોકોએ મને આવી ફરિયાદ કરેલી સ્વાદ નહોતો આવતો એ લોકોમાં રિપોર્ટમાં એન્ટિબોડી જોવા મળ્યા છે મતલબ કે એવા લોકો ને કોરોના આવી ને જતો પણ રહ્યો હોય.. આવી જ રીતે  મોટાભાગના લોકોમાં કોરોનાના એન્ટીબોડી બની જશે ત્યારે કોરોના જશે.. હકીકતમાં કોરોના નહીં જાય આપણે એની સાથે જીવતા અને એને જીતતા શીખી જઈશું..

બસ તો આ જંગમાં એટલું જ ધ્યાન રાખવાનું છે કોરોના તો થવાનો જ છે એનાથી સહેજ પણ ડર્યા વગર વહેલી તકે નિદાન અને સારવાર ચાલુ કરાવી દઈએ જેથી ઘરે રહીને જ સારા થઈ જઈએ. કોરોનાથી ડરવાની જરૂર નથી.  એટલે ડોકટરની સલાહ વગર દવા ન લેવી જોઈએ.

કોરોનાના જંગમાં ઓછા લોકોની કુરબાની ચડે અને જલ્દી આપણી  જીત થાય એના માટે આપણે પૂરતી  સાવચેતી રાખીએ અને ફરી પાછા આપણે ૫હેલાની જેમ જલ્દી હરતા ફરતા અને ખુશીઓની લહેરો ઉઠાવતા બની જઈએ એવી ભગવાનને મંગલ પ્રાર્થના...(૨૧.૧૪)

: સંકલન :

પ્રદિપભાઇ ખીમાણી

જૂનાગઢ

મો. ૯૪૨૬૭ ૧૭૦૦૦

(1:06 pm IST)