Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ગારીયાધાર ન.પા.ના પાર્કિંગમાં સફાઇનો અભાવ અનેક ફરિયાદો છતાં કાયમી નિકાલ નથી થતો

(ચિરાગ ચાવડા) ગારીયાધાર તા.૧૯: ગારીયાધાર નગરપાલિકા દ્વારા આશ્રમ રોડ ખાતેના પાર્કિંગમાં સાફ-સફાઇ કરવામાં ન આવતી હોવાથી લોકો ત્રાહીમામ થવા પામ્યા છે.

આશ્રમ રોડ ખાતે આવેલ પાર્કિંગમાં રોડ રસ્તા પરના કાગળો, પ્લાસ્ટીક ઉડીને પડે છે જેના કારણે પાર્કીંગમાં ભારે કચરો એકઠો થયેલો રહે છે. જયારે આ પાર્કિંગમાં કચરો થતો રહેતો હોવા છતા નગરપાલિકા કચેરી દ્વારા સાફ-સફાઇ કરવામાં આવતી નથી.ગારીયાધાર નગરપાલીકા દ્વારા નિયમિત ધોરણે પાર્કીંગની સાફ-સફાઇ થાય અને કચરાનો નિકાલ થાય તો જ આ પાર્કિંગની જાળવણી થશે અને લોકો માટે ઉપયોગી થશે. તહેવારોના દિવસોમાં લોકો આ પાર્કિંગનો પુરો ઉપયોગ કરતા હોવાથી સાફ-સફાઇ જરૂરી બની છે.

(10:53 am IST)