Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

ભાજપના લોકો આખા દેશને કાતરી ગયા છેઃ ત્યારે ખીસ્સા કાતરૂનો શું વાંક : હાર્દિક પટેલના પ્રહારો

મોરબીના જેતપરમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષની જાહેર સભા

મોરબી,તા. ૨૬: મોરબીમાં કોંગ્રેસ અધ્યક્ષ હાર્દિક પટેલ કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલને જીતાડવા ગામે ગામના પ્રશ્નો જાણવા અને તાગ મેળવવા પ્રવાસ મોરબી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી કરી રહ્યો છે ત્યારે આજે હાર્દીક પટેલે મોરબી શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ કર્યો હતો અને ખેડૂતો તેમજ ગ્રામ્ય વિસ્તારોના પ્રશ્નો જાણ્યા હતાં તેમજ ભાજપના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના ગામ માં કોંગ્રેસને જબરું સમર્થન મળ્યું છે.

તો બીજી બાજુહાર્દિક પટેલને સાંભળવા ૨ હજાર થી વધુ જનમેદની ઉમટી પડી હતી જેમાં હાર્દિક પટેલે સભાને સંબોધી ભાજપ અને આજે મોરબી આવેલા સ્મૃતિ ઈરાની પર ધારદાર સવાલો કર્યાં હતાં એટલું જ નહીં તેને ભાજપ દ્વારા ફકત વાયદાઓ જ કર્યા હોવાના આક્ષેપો કરી અને આજે સ્મૃતિ ઈરાનીની સભાને વરરાજા વિનાની જાન ગણાવી હતી ઉલ્લેખનીય છે કે આજે ભાજપની સભામાં સ્મૃતિ ઈરાની નીંહાજરીમાં ખુદ ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા જ હાજર ન હતા જેને લિધે અનેક તર્ક વિતર્ક સર્જાયા હતાં.

ત્યારે હાર્દિકે સીધું સ્મૃતિ ઈરાની પર નિશાન તાકયું હતું સાથે જ સ્મૃતિ ઈરાનીએ હાર્દિકને કોંગ્રેસનો નોકરિયાત ગણાવ્યો હતો ત્યારે હાર્દિકે પણ કોંગ્રેસ સારી છે નોકરીએ તો રાખે છે ભાજપની જેમ ગદારોને સ્થાન નથી આપતી તેમ કહી રસ્તાઓ હજુ પણ૨૦૧૫ થી એવાને એવા જ છે તેવું જણાવી સીધા જ મેરજા પર આક્ષેપો કર્યા હતા હાર્દિકે લોકોના પ્રશ્નોને વાચા આપવા ફરી જયંતિ પટેલને ૨૫ હજારની લીડથી જીતાડવા પણ જેતપરની પ્રજા ને અપીલ કરી છે.

ભાજપ ના કાર્યક્રમ માં જ તેના કાર્યકરો ના ખિસ્સા કપાઈ ગયા ની વાત પર નિશાન તાકી ભાજપના લોકો આખા દેશને કાતરી ગયા છે ત્યારે ખીસ્સા કાતરું નો શુ વાંક છે તેવી રમુજી ટિપ્પણી કરી હતી મોરબીના જેતપર ખાતે હાર્દિક પટેલે મંદિરમાં દર્શન કરી અને બાદમાં લીંબડી ખાતે જવા રવાના થયા છે સાથે જ આગામી એન્ટ્રી વિજય સરઘસ સમયે કરવા પણ જેતપર ના લોકોને વચન આપ્યું છે.

(11:36 am IST)