Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

જૂનાગઢમાં ગિરીશભાઇ કોટેચાના ધ-ફર્ન લિયો રિસોર્ટ એન્ડ કલબનું વિજયભાઇ રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન

જૂનાગઢઃ જુનાગઢ તળેટીમાં લોહાણા મહાજન અગ્રણી ગિરીશભાઇ કોટેચાના ફર્ન લિયો રિસોર્ટ એન્ડ કલબનું  ઉદઘાટન શનિવારે  મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાત ટુરિઝમ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. ગુજરાત પ્રવાસન ક્ષેત્રે વિશ્વના નકશામાં અંકિત થાય એ માટે રાજય સરકાર કટિબદ્ઘ છે. જૂનાગઢ પ્રવાસનધામ બની ગયું છે. ગિરનાર રોપ વે તૈયાર થતા જૂનાગઢ માં દેશ વિદેશમાંથી આવતા પ્રવાસીઓ માટે સારી હોટેલોની આવશ્યકતા રહેશે. આ તકે મુખ્યમંત્રીશ્રીએ ગિરનાર તળેટીમાં વિશાળ જગ્યામાં નિર્માણ કરેલ રિસોર્ટ માટે કોટેચા પરિવારને શુભકામનાઓ પાઠવી હતી. ધ ફર્ન લિયો રિસોર્ટ એન્ડ કલબના ઉદ્ઘાટન પ્રસંગે પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા, ઉર્જા મંત્રી સૌરભ પટેલ, સાંસદ શ્રી રાજેશ ચુડાસમા મેયર શ્રી ધીરૂભાઈ ગોહેલ શ્રીમતી અંજલીબેન રૂપાણી, ગીરીશભાઇ કોટેચા, વિપુલ કોટેચા, ડોલરભાઇ કોટેચા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાર્થ કોટેચાએ સ્વાગત પ્રવચન કર્યું હતુ. ભાગ્યશ્રી કોટેચાએ મુખ્યમંત્રીશ્રીને તેમનું રેખાચીત્ર આપી સ્વાગત કર્યું હતુ. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા -જૂનાગઢ)

(12:32 pm IST)