Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

પોરબંદર કર્લી ખાડીમાં ૫ યુવાનો તણાયા એકની લાશ મળી : ૪ યુવાનનો બચાવ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૨૭ : કર્લી ખાડીમાં ઉપરવાસની નદીના ઘોડાપુર જઇ રહેલ છે. આ કર્લી ખાડીમાં નહાવા પડેલા ૫ યુવાનો તણાય જતાં નગરપાલિકા ફાયરબ્રિગેડે રેસ્કયુ કરીને ૪ યુવાનોને બચાવી લીધેલ છે. એક યુવાન અશોક ભીખાભાઇ શીંગરખીયાનું ડૂબી જતા મોત નિપજ્યું છે તેમની લાશ મળી આવી છે.

નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા વિપુલ ભીખાભાઇ શીંગરખીયા, અશોક ભીખાભાઇ શીંગરખીયા, પરેશ શીંગરખીયા તથા અરજણ ગોવિંદભાઇ પરમાર કર્લી ખાડીમાં નહાવા પડેલ ત્યારે કર્લી ખાડીમાં નદીના પૂર આવેલ હોય પાંચેય યુવાનો તણાય ગયેલ હતા. જેની જાણ કરતા પાલિકા ફાયરબ્રિગેડની ટીમે આવી ગયેલ અને બોટ લઇને રેસ્કયુ કરી ચારેય યુવાનોને બચાવી લીધા હતા.

જ્યારે અશોક ભીખાભાઇ શીંગરખીયાનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. જેની લાશ ખાડી કાંઠે મળી આવી છે.

(12:54 pm IST)