Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

ભાજપ પરસોતમભાઈ રૂપાલાની ટીકીટ નહીં કાપે તો લોકસભામાં તેનું પરિણામ ભોગવશે : રાજપૂત સમાજ પર કરાયેલ ટિપ્‍પણીનો મામલો ગરમાયો : જામનગર સંગઠનના ઉપપ્રમુખ જયદીપસિંહ ઝાલાનુ ભાજપમાંથી રાજીનામુ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૨૮  :પરસોતમભાઈ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ પર કરાયેલ ટિપ્‍પણીનો મામલો ગરમાયો છે.જામનગરમાં રાજપુત સમાજના આગેવાનો અને મહિલાઓ દ્વારા પ્રેસ કોન્‍ફરન્‍સ યોજવામાં આવી હતી.પરસોતમભાઈ રૂપાલાની ટીકીટ કાપવામાં આવે તેવી ઉગ્ર માંગ થઈ છે.

ભાજપ સાથે કે પક્ષ સાથે કોઇ વાંધો નથી પરંતુ રૂપાલાની ટીકીટ કાપવાની માંગ કરાઈ છે.ભાજપ ટીકીટ નહીં કાપે તો લોકસભામાં તેનું પરિણામ ભોગવશે.તેમ જયદીપસિંહ ઝાલાએ જણાવ્‍યું હતું.

જામનગર શહેર સંગઠનના ઉપપ્રમુખ જયદીપસિંહ ઝાલાએ આ બાબતને લઇને ભાજપમાંથી  રાજીનામું આપ્‍યું છે. (તસવીર :  કિંજલ કારસરીયા, જામનગર)

(4:02 pm IST)