Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

લગ્નની તૈયારીમાં છે એઝાઝ અને પવિત્રા

ટીવી અભિનેત્રી પવિત્રા પુનિયા અભિનેતા એઝાઝ ખાન સાથે લગ્ન કરવાની છે. એમટીવી સ્‍પ્‍લીટ્‍સવીલા-૩થી જાણીતી બનેલી પવિત્રાએ ગીત, જી લે યે પલ, લવ યુ જિંદગી, હોંગે જુદા ના હમ, યે હૈ મહોબ્‍બતે, કવચ, નાગીન-૩ સહિતના શો કર્યા છે. છેલ્લે તે બીગ બોસ-૧૪માં જોવા મળી હતી. આ એવો શો છે જેમાં દરેક સીઝનમાં નવી જોડી બનીને બહાર આવે છે. પવિત્રા અને એઝાઝની લવસ્‍ટોરી બીગ બોસમાં બની હતી. આ બંનેએ ગયા ઓક્‍ટોબરમાં સગાઇ કરી હતી. એક ડિનર ડેટ પર એઝાઝે પવિત્રાને ડાયમંડ રીંગ પહેરાવીને લગ્નનું પ્રપોઝ કર્યુ હતું. હવે ટુંક સમયમાં લગ્ન કરવાના છે. જો કે બંનેએ લગ્ન ગમે ત્‍યારે થઇ શકે છે તેમ કહી તારીખ જાહેર કરી નથી. ૧૯૯૯થી ટીવી પરદે કામ કરી રહેલા એઝાઝે અનેક ટીવી શો કર્યા છે. હલાલા, માયાનગરી, ભ્રમ, કશ્‍મકશ, સીટી ઓફ ડ્રીમ્‍સ સહિતના વેબ શો કર્યા છે. 

(10:28 am IST)