Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

રાજપીપળાના તલકેશ્વર મહાદેવ મંદિરની દીવાલ, મુખ્ય માર્ગ પાણીમાં ધોવાઇ જતા અવર,જવર ખોરવાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા કરજણ બ્રિજ નીચે આવેલા તલકેશ્વર મહાદેવ મંદિરની પ્રોટેક્શન વોલ અને આગળ જતો માર્ગ પાણીમાં ધોવાઇ જતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.

ગઈકાલે કરજણ ડેમમાંથી દોઢ લાખ ક્યુસેક પાણી છોડાતા કરજણ નદી કિનારે આવેલા ખેતરો,મંદિરો કે ઝૂપડામાં પાણી ભરાઈ જતા ભારે નુકશાન થયું છે જેમાં કરજણ બ્રિજ નીચે આવેલા તલકેશ્વર મહાદેવ મંદિરમાં જતો પાકો રસ્તો અને મંદિરની પ્રોટેક્શન દીવાલ પણ ધોવાઇ ગઈ હતી આજે દીવાલ અને રસ્તાનું કોઈ અસ્તિત્વ જ જણાતું નથી જોકે આ માર્ગ ઉપરથી રાજપીપળાથી એ તરફ ખેતરો ધરાવતા ખેડૂતોને જવાનું બંધ થઈ જતા લાંબો ફેરો ફરવો પડશે.ત્યારે તંત્ર આ રસ્તા અને દીવાલ બાબતે ઝડપી કામગીરી કરે તેવી માંગ ઉઠી છે

(10:16 pm IST)