Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

ગુજરાતના વકીલોના વેલફેર માટે રાજય સરકાર દ્વારા છ કરોડની ફાળવણી

રાજકોટ તા. ૪: બાર કાઉન્સિલ ઓફ ગુજરાત એક અખબારી યાદીમાં જણાવે છે કે, ગુજરાત સરકારે બજેટ સત્ર દરમિયાન ગુજરાતના વકીલોના કલ્યાણ અર્થે રૃપિયા ૬ કરોડ જેટલી માતબર રકમની સહાયની જાહેરાત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલની (ભાજપ) સરકારે વિધાનસભા ગૃહમાં કરેલ. તે અન્વયે આજરોજ કેબીનેટ મંત્રી (મહેસુલ અને કાયદામંત્રી) શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ રૃપિયા ૬ કરોડનો ચેક ગુજરાત બાર કાઉન્સિલના હોદેદારો ચેરમેન શ્રી અનિરૃધ્ધસિંહ એચ. ઝાલા વાઇસ-ચેરમેન શ્રી રમેશચંદ્ર એન. પટેલ ચેરમેનશ્રી, એકઝીકયુટીવ કમિટી શ્રી સી. કે. પટેલ અને પુર્વ-ચેરમેન શ્રી કિશોરકુમાર આર. ત્રિવેદી, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનાઓને એનાયત કરેલ છે.

રાજય સરકાર સમક્ષ સમગ્ર વકીલોને આર્થિક સહાયતા મળી રહે તે માટે ભાજપ લીગલ સેલના કન્વીનરશ્રી તથા પુર્વ ચેરમેન શ્રી જે. જે. પટેલ તથા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સમરસ ટીમે રજુઆત કરેલ હતી.

તદ્દઉપરાંત, આ અગાઉ ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રૃપિયા બે કરોડ બાવીસ લાખની સમગ્ર ગુજરાતના વકીલ મંડળોને ઇ-લાઇબ્રેરી મળીફ રહે તે માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના માધ્યમથી સહાયની રકમ આપેલ તેમજ પુર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૃપાણીની ભાજપ સરકારે પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને ગુજરાત રાજયના વકીલોને કલ્યાણ અર્થે રૃપિયા પાંચ કરોડ જેટલી માતબર સહાયની રકમ આપેલ છે.

બાર કાઉન્સલ ઓફ ગુજરાત, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ, કાયદા-મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, નાણામંત્રી કનુભાઇ દેસાઇ, ભાજપ પ્રદેશ કન્વીનર લીગલ સેલ તથા પુર્વ-ચેરમેન શ્રી જે. જે. પટેલનો આભાર માનેલ છે.

(3:33 pm IST)