Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

દહેજના મામલે ખંભાતની પરિણીતા પર ત્રાસ ગુજારનાર સાસરિયાના સભ્યો વિરુધ્દ ગુનો દાખલ

ખંભાત:શહેર ની પરિણીતા ઉપર દહેજના મુદ્દે પતિ તેમજ ઘરના સભ્યોએ શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારીને કાઢી મુકતા આ અંગે ખંભાત શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર ખંભાતના પીઠ બજાર ખાતે રહેતી તૈયબાબાનુના લગ્ન ગત ફેબ્રુઆરી મહિનામાં પેટલાદ ખાતે રહેતા મકસુદભાઈ ઈનુસભાઈ મન્સુરીવ્હોરા સાથે થયા હતા. લગ્નના થોડા દિવસો બાદથી જ પતિ તેમજ ઘરના સભ્યોએ તેણી ઉપર દરદાગીના તેમજ પૈસા પિયરમાંથી લાવવાનું દબાણ કરીને ત્રાસ ગુજારવાનો ચાલુ કરી દીધો હતો. ગત ૧૫મી તારીખના રોજ આ બાબતે તેણીની સાથે ઝઘડો કરીને ધકકો મારી કાઢી મુકી હતી. જેથી તેણી પોતાના પિયર ખંભાત જતી રહી હતી. દરમ્યાન આજે ખંભાત શહેર પોલીસ મથકે આવીને પતિ મકસુદભાઈ, સસરા ઈનુસભાઈ, સાસુ કૌશરબાનુ, સમીરાબાનુ ઈનુસભાઈ, નિલોફરબાનુ ઈનુસાભાઈ, પરવીનબાનુ સકીબભાઈ વ્હોરા, સકીબભાઈ ગનીભાઈ વ્હોરા તેમજ મુનાફભાઈ ઈનુસભાઈ વ્હોરા વિરૂધ્ધ ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

(5:56 pm IST)