Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

મોદીએ ઈ-લોકાર્પણ કરી વલસાડને આપી આરોગ્યધામની મોટી ભેટ

૨૦૦ કરોડથી વધુના ખર્ચે ૮ એકર જમીનમાં હોસ્પિટલ તૈયાર કરાઇ : ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું પ્રધાનમંત્રીએ ઉદ્ઘાટન કરતા જરૃરિયાતમંદ પરિવારોને મદદરૃપ થશે : લોકોને અન્ય શહેરમાં સારવાર માટે નહીં જવું પડે

વલસાડ, તા.૪ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વલસાડને આરોગ્યધામની ભેટ આપી છે. ધરમપુરમાં ૨૫૦ બેડની શ્રીમદ રાજચંદ્ર મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું વીડિયો કોન્ફરન્સિંગથી પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. ઁસ્ મોદીએ ઈ-લોકાર્પણ કરી લોકોને ભેટ આપી છે. આ હોસ્પિટલ અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ છે. ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું પ્રધાનમંત્રી મોદીએ ઉદ્ઘાટન કરતા જરૃરિયાતમંદ પરિવારોને મદદરૃપ થશે. લોકોને અન્ય શહેરમાં સારવાર માટે નહીં જવું પડે. ૨૦૦ કરોડથી વધુના ખર્ચે ૮ એકર જમીનમાં અદ્યતન હોસ્પિટલ તૈયાર કરાઇ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ડબલ એન્જિન સરકારનો આપણને લાભ મળી રહ્યો છે. સૌના સાથ અને સૌના વિકાસ માટે ગુજરાત સરકાર કટીબદ્ધ છીએ. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આગામી ૧૩થી ૧૫ ઓગસ્ટ દરમિયાન તિરંગો લહેરાવવો. ૧ કરોડ ઘરો પર તિરંગો લહેરાવવામાં આવે તેવી નેમ છે.

આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આજે મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનો ઉદ્ઘાટન અને એનિમલ હોસ્પિટલનો શિલાન્યાસ કરાયો છે.

 શાસ્ત્રોમાં કહેવાયું છે, ૧૦૦ જીવતી ગુણાયસ્ય, ધર્મો યસ્ય જીવતી, એટલે જેમના ગુણધર્મ જેમના કર્તવ્ય જીવીત રહે છે તે જીવીત રહે છે, અમર રહે છે. જેમના કર્મ અમર હોય છે તેમની ઉર્જા અને પ્રેરણા પેઢીઓ સુધી સમાજની સેવા કરતી રહે છે. શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરનો આજનો કાર્યકર્મ આજ શાસ્વત ભાવનું પ્રતિક છે.

(7:24 pm IST)