Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

અમદાવાદ સહીત નગરોમાં વકરતો કોરોના:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 871 નવા કેસ નોંધાયા:વધુ 1031 દર્દીઓ સાજા થયા:આજે એક દર્દીનું મૃત્યુ થયું: કુલ મૃત્યુઆંક 10,971 થયો : કુલ 12.41.363 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 5.22.127 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 6246 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 871 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 1031 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.41.363 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું છે, ભાવનગર કોર્પોરેશનમાં એક દર્દીનું મૃત્યુ થયું છે,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.971 છે, રાજ્યમાં રિકવરી રેટ 98.61 ટકા જેટલો છે.

  રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 5.22.127 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11.78.64.307 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

 રાજ્યમાં હાલ 6246 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં 23 દર્દી વેન્ટિલેટર પર છે,અને 6223 દર્દીઓ સ્ટેબલ છે .

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 871 કેસમાં અમદાવાદ કોર્પોરેશન 281 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 71 કેસ,મહેસાણામાં 44 કેસ,સુરતમાં 42 કેસ,રાજકોટ કોર્પોરેશનમાં 38 કેસ, ગાંધીનગરમાં 36 કેસ,રાજકોટમાં 35 કેસ,સુરત કોર્પોરેશનમાં 30 કેસ, અમરેલીમાં 29 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 28 કેસ, કચ્છમાં 27 કેસ,બનાસકાંઠામાં 21 કેસ,નવસારી અને પાટણમાં 28- 28 કેસ,આણંદમાં 16 કેસ,વડોદરામાં 14 કેસ,મોરબી, અને વલસાડમાં 13-13 કેસ, જામનગર કોર્પોરેશનમાં 11 કેસ,અરવલ્લી, પોરબંદર અને સાબરકાંઠામાં 10-10 કેસ, સુરેન્દ્રનગરમાં 8 કેસ, ભરૂચ, ભાવનગર કોર્પોરેશન અને ખેડામાં 7-7 કેસ,અમદાવાદમાં 6 કેસ, પંચમહાલમાં 5 કેસ, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં 4-4 કેસ, ભાવનગરમાં 3 કેસ,દાહોદમાં 2 કેસ, જામનગર,જૂનાગઢ અને જૂનાગઢ કોર્પોરેશનમાં 1-1 કેસ નોંધાયો છે

(7:42 pm IST)