Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

3 મહિનામાં પાટીદાર આંદોલન સમય થયેલા કેસ પાછા ખેંચાશે : ખોડલ ધામના ચેરમેન નરેશ પટેલ વડોદરામાં

ખોડલધામ મંદિર કાગવડના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની માહિતી આપી

વડોદરા :  ખોડલ ધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ  પટેલ વડોદરાની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમને ખોડલધામ મંદિર કાગવડના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની માહિતી આપી હતી.

પાટીદાર આંદોલન સમયના કેસ પાછા ખેંચવાના મુદ્દે સીએમ ભુપેન્દ્રભાઈ  પટેલ સાથે નરેશ પટેલ ચર્ચામાં છે. નરેશભાઈ  પટેલે કહ્યું કે, સીએમ ભૂપેન્દ્ર ભાઈ પટેલે તેમને આશ્વાસન આપ્યું છે કે 3 મહિનામાં પાટીદાર આંદોલન સમય થયેલા કેસ પાછા ખેંચાશે.

(9:51 pm IST)