Gujarati News

Gujarati News

News of Friday, 24th February 2023

સોલીયા ગામના સ્મશાન પાસે દુમાલા ગામના આધેડને પથ્થર મારી મોત નિપજાવતાં હત્યાનો ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના સોલિયા ગામના સ્મશાન પાસે એક આધેડ વ્યક્તિનું કોઈક અજાણ્યા શખ્શે ખૂન કરતા પોલીસે હત્યા કરનાર અજાણ્યા વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે

  પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર રાજુભાઈ રતિલાલ વસાવા( રહે.દુમાલા ફીચવાડા,આંબાવાડી ફળીયું તા.નેત્રંગ જી.ભરૂચ)નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેમના પિતા રતિલાલભાઇ મગનભાઇ વસાવા (ઉ.વ.આ. ૫૦ )(રહે,દુમાલા ફીચવાડા,આંબાવાડી ફળિયુ તા.નેત્રંગ જી.ભરૂચ) ગામમાં લગ્ન હોય ત્યાં ગયેલા ત્યાંથી ઘરે પરત નહિ આવ્યા બાદ ખબર પડી કે તેમની હત્યા થઈ છે જેમાં કોઇ અજાણ્યા વ્યક્તિએ રતિલાલભાઈને માથાના પાછળના ભાગે પથ્થર વડે ગંભીર ઇજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારતા ડેડીયાપાડા પોલીસે હત્યા કરનાર વ્યક્તિને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

(10:10 pm IST)