Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

વડોદરા જિલ્લાના મંજૂસર ખાતે નવીન પોલીસ સ્ટેશન કાર્યરત કરાશે: ગૃહરાજય મંત્રી પ્રદિપસિહ જાડેજા

મંજુસર ખાતે નવીન પોલીસ સ્ટેશન કાર્યરત કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો

અમદાવાદ :ગૃહરાજય મંત્રી  પ્રદિપસિહ જાડેજાએ જણાવ્યુ છે કે, રાજયમા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જ્ળવાઈ રહે અને નાગરિકોને ઘર આગણેજ ન્યાય મ્ળે એ માટે રાજય સરકારે સઘન પ્રયાસો હાથ ધર્યા છે જેના ભાગરૂપે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર ખાતે નવીન પોલીસ સ્ટેશન કાર્યરત કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
  મંત્રીએ ઉમેર્યુ કે, વડોદરા ગ્રામ્યના સાવલી તાલુકાના આ નવીન મંજુસર પોલીસ સ્ટેશન માટે ૮૯ જગ્યાઓની મંજુરી આપવામાં આવી છે.આ પોલીસ સ્ટેશનમાં વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાંથી ૧૫ ગામો ,ભદરવા પોલીસ સ્ટેશનમાંથી ૧૪ ગામો ( જેમાં બળવંત તલાવડી , લાખાપુરા અને દાતારપુર પરાનો પણ સમાવેશ થાય છે . ) અને સાવલી પોલીસ સ્ટેશનમાંથી ૯ ગામો મળી કુલ ૩૮ ગામોનો મંજુસર પોલીસ સ્ટેશનમાં સમાવેશ કરાયો છે. જેના પરિણામે આ ગામના નાગરિકોને પોલીસની સેવાઓ માટે હવેથી દૂર જવુ નહી પડે અને તેઓની  ફરિયાદ પરત્વે ઝડપથી કામગીરી હાથ ધરી શકાશે.

(6:51 pm IST)