Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ગાજરગોટા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક ઈશ્વરભાઈ પટેલ વયનિવૃત્ત થતા સન્માન સમારંભ યોજાયો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : તારીખ - 27 -11- 2021 ને શનિવારના રોજ નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ગાજરગોટા ગામની પ્રાથમિક શાળામાં 34 વર્ષ સુધી ખૂબજ નિયમિત અને નિષ્ઠાપૂર્વક શિક્ષક તરીકે ફરજ બજાવનાર શિક્ષક ઈશ્વરભાઈ પટેલ પોતે વયનિવૃત થતા ગાજરગોટા ગામમાં ગ્રામવાસીઓ દ્વારા વિદાય નિમિત્તે સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો.
સંભારંભમાં ગ્રામજનોએ નિવૃત્ત થનાર શિક્ષકને પુષ્પમાળા તથા સ્મૃતિચિન્હ અર્પણ કર્યા હતા સમારંભમાં ગામના વડીલો યુવાનો બહેનો બાળકો ગ્રુપ શાળાના શિક્ષકો વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ગામના વડીલો તથા નિવૃત્ત થનાર શિક્ષકે પ્રસંગ અનુરૂપ પ્રવચન કર્યું હતું.

(11:08 am IST)