Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

ડેડીયાપાડા આમ આદમી પાર્ટીના ઉમેદવારે પોતાનુ અપહરણ કરી હત્યા કરવાની ચુંટણી પંચ મા ફરિયાદ કરી

નર્મદા જીલ્લા પોલીસ અપહરણ કરી કાવતરું રચી હત્યા કરવા માંગતી હોવાનાં આરોપ સાથે પોલીસ અધિકારી ઓ સામે આચાર સંહિતા ભંગ ની ફરિયાદ દાખલ કરવાની માંગ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લા ની ડેડીયાપાડા વિધાનસભા બેઠક ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા એ મોડી રાત્રે નર્મદા પોલીસ દ્વારા પોતાનુ અપહરણ કરી હત્યા કરવાનો પોલીસ ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે,અને આ અંગે ચૂંટણી પંચ માં લેખિત ફરિયાદ કરતા ચકચાર મચી જવા પામી છે.
આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા એ ચુંટણી પંચ માં કરેલી લેખિત ફરિયાદ માં નર્મદા જીલ્લા પોલીસ વડા સહિત એલ. સી. બી. પી આઈ., ડેડિયાપાડા સી. પી આઈ., પોલીસ ઇન્સ્પેક્ટર વિગેરે નાઓ એ પોતાની અપહરણ કરી હત્યા કરવા નો કારસો રચ્યો હોવાની ફરિયાદ કરી છે.ત્યારે આ વાતમાં કેટલું તથ્ય છે એ તપાસ બાદ બહાર આવશે. પરંતુ આ ફરિયાદ બાદ નર્મદા જિલ્લામાં રાજકારણ માં ગરમાવો આવ્યો છે.

(11:34 pm IST)