Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

શું ખરેખર અલ જવાહિરીનો થયો છે ખાત્‍મો ? અમેરીકાના દાવાની તપાસ કરશે તાલીબાન

ઈસ્‍લામાબાદ, તા., ૪: અમેરીકાએ અલ કાયદાના ખુંખાર લીડર અલ જવાહિરીને ડ્રોન એટેકમાં ઉડાવી દીધો હતો આ ખબરની તેમણે સતાવાર પુષ્‍ટી કર્યા બાદ તાલીબાનોએ એવુ જણાવ્‍યું છે કે જવાહિરીની મોતના પુરાવા નથી મળ્‍યા. અમેરીકાએ કરેલા દાવાની તપાસ થશે.

ઉલ્લેખનીય છેકે, અફઘાનીસ્‍તાનના કાબુલમાં સેફ હાઉસમાં છુપાયેલા અલ જવાહિરીને મારી પાડયાનો દાવો અમેરીકાએ કર્યો હતો. ત્‍યાર બાદ અમેરીકા અને તાલીબાની નેતાઓ વચ્‍ચે મૌખીક જંગ છેડાયો છે. તાલીબાને હજુ સુધી જવાહિરીના મૃત્‍યુને સતાવાર કબુલ્‍યુ નથી. ત્‍યારે ફરીથી એક વખત પ્રશ્ન ઉદભવ્‍યો છે કે ખરેખર જવાહિરી માર્યો ગયો છે? દરમિયાન તાલીબાને પણ અમેરીકાના દાવાની તપાસ કરવાનું જણાવ્‍યું છે.

(3:29 pm IST)