Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

ગામને દારૂમુક્‍ત કરવા અનોખો પ્રયોગઃ પાંજરે પુરાવાની શરમે દારૂડિયા બન્‍યા વ્‍યસનમુકત

આ ગામમા દારૂનું સેવન કરાનાઓને એક દિવસ જેલમાં બંધ રાખવામાં આવે છે અને ૧૨૦૦૦ હજારનો દંડ ફટકારવામાં આવે છે

મુંબઇ,તા. ૨૧: ગાંધીના ગુજરાતને સાચા અર્થમાં દારૂમુક્‍ત કરવા માટે કેટલાક ગામોએ અનેખી તરકીબ અપનાવી છે. આ તરકીબ એવી છે લોકો તેના ડરથી નહીં પણ શરમને કારણે દારૂ છોડી છે. કાયદેસર રીતે ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ દરરોજ ગેરકાયદેસર દારૂ વેચવાના અને પીવાના અનેક કિસ્‍સાઓ સામે આવે છે. ત્‍યારે સાણંદ પાસે મોતીપુરા ગામમાં દારૂના સેવનને રોકવા માટે એક જેલ બનાવવામાં આવી છે.
આ ફોટો મોતીપુર ગામનો છે. આ માણસને કોઈ હત્‍યા, ચોરી કે લૂટંફાટ માટે નહીં પણ દારૂના સેવન બદલ જેલમાં પુરવામાં આવ્‍યો છે. અહીં  નટ સમાજની બહુમતી છે, જે યાયાવર જેવું જીવન જીવે છે. સમાજના લોકોએ તેમના સમુદાયના લોકોમાં દારૂનું વ્‍યસન દૂર કરવા માટે એક અનોખો સામાજિક પ્રયોગ કર્યો છે. આ પ્રયોગ દારૂ પીનારાઓ પર દંડ લાદવાનો અને તેમને સજા તરીકે રાતોરાત પાંજરામાં રાખવાનો છે. તેના પરિણામો એટલા ચમત્‍કારિક છે કે હવે તમામ જિલ્લાના દ્યણા ગામો આ તરકીબને અપનાવી રહ્યા છે.
સાણંદથી ૭ કિમી દૂર મોતીપુરા ગામ દારૂબંધીની દ્યટનાનો સામનો કરી રહ્યું હતું. ગામમાં ઓછામાં ઓછી ૧૦૦ આવી મહિલાઓ છે જે દારૂને કારણે અશક્‍ત બની છે. આ દુર્દ્યટનાનો અંત લાવવા સમાજના લોકોએ એક અનોખી પહેલ કરી. જેમાં મહિલાઓની મદદ લેવામાં આવી હતી. ગામમાં પાંજરાની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. દારૂ પીનાર વ્‍યક્‍તિ રાતોરાત એક જ પાંજરામાં કેદ થઈ જાય છે. આ સિવાય તેના પર ૧૨૦૦ રૂપિયાના દંડનો નિર્ણય કરવામાં આવ્‍યો હતો, જેને હવે વધારી દેવામાં આવ્‍યો છે.
દારૂનું સેવન અટકાવવા અંગે સૌથી પહેલો વિચાર ગામના એક યુવક મંડળને આવ્‍યો હતો. તેમણે આ વિચાર અંગે ગામના વડીલો સાથે વાત કરી અને ત્‍યાર બાદ દારૂનુ સવેન કરનારા માટે સજારૂપે દંડ નક્કી કરવામાં આવ્‍યો. ધીમે ધીમે આ તરકીબની સારી અસર થતાં જેલમાં પુરી રાખવાનો પ્રયોગ અપનાવવામાં આવ્‍યો.
જેલના પ્રયોગ વિશે વધુ જણાવતાં શંકર ભાઈએ કહ્યું કે ‘ઘણીવાર એવું બનતું કે નાણાંકીય રીતે સદ્ધર લોકો દંડ તો આપી દેતા પરંતુ દારૂ છોડતા નહોતા. બાદમાં અમે દંડની સાથે દારૂ પીનારાઓને એક દિવસ જેલમાં પણ રાખવાનું નક્કી કર્યુ, જેથી શરમને કારણે તેઓ દારૂની લત છોડી દે. આ પ્રયોગ દ્યણા અંશે સફળ રહ્યો. અમે આ પ્રયોગ સાથે ૪ વર્ષથી કામ કરી રહ્યાં છે. હવે ક્‍યારેક કોઈ માંડ એક દારૂનો કિસ્‍સો સામે આવે છે.
મોતીપુરા ગામના આ મોડેલની સફળતાએ અન્‍ય ગામોને પણ પ્રેરણા આપી છે. હવે અમદાવાદ, સુરેન્‍દ્રનગર, અમરેલી અને કચ્‍છ જિલ્લાના ૨૩ થી વધુ ગામોએ આ સામાજિક પ્રયોગ અપનાવ્‍યો છે. દંડની રકમ વધારીને હાલમાં ૧૨૦૦૦ રૂપિયા કરવામાં આવી છે જેનો ઉપયોગ સ્‍થાનિક સામાજિક કાર્ય માટે થાય છે.
હાલમાં ૨૪ ગામોએ આ પ્રયોગ અપનાવ્‍યો છે. આમાંના મોટાભાગના ગામોમાં સરેરાશ ૧૦૦ થી ૧૫૦ શ્નદારૂ વિધવાઓશ્ન છે એટલે કે મહિલાઓ જે તેમના પતિના દારૂના વ્‍યસનના કારણે વિધવા બની છે. આ અનોખી પહેલની સફળતા પાછળ મહિલાઓની મહત્‍વની ભૂમિકા છે. તે મહિલાઓ છે જે ગામના વ્‍યક્‍તિ વિશે માહિતી આપે છે જે નશામાં છે. માહિતી આપનારી મહિલાઓની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે અને દંડ તરીકે વસૂલવામાં આવેલી રકમમાંથી ૫૦૧ અથવા ૧૧૦૦ રૂપિયા માહિતી આપનારી મહિલાને ઈનામ તરીકે આપવામાં આવે છે. આવી જ રીતે તે ગામની આસપાસ રહેલા દારૂના અડ્ડા સાથે ડીલ કરે છે. જેનો પણ આ પ્રયોગ સફળ થવામાં મોટો ફાળો છે.

 

(10:26 am IST)