Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

નીતિશ કુમાર કોરોનાથી સંક્રમિતપોઝિટિવ આવ્‍યા બાદ ડોક્‍ટર્સ કરી રહ્યા છે સારવાર

નવી દિલ્‍હી તા. ૨૬ : બિહારના મુખ્‍યમંત્રી નીતિશ કુમાર કોરોનાથી સંક્રમિત થયા છે. કોવિડ ટેસ્‍ટ કરાવ્‍યા બાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો છે.

બિહારના મુખ્‍યમંત્રી નીતિશ કુમાર કોરોનાથી સંક્રમિત થયા છે. કોવિડ ટેસ્‍ટ કરાવ્‍યા બાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, ચાર દિવસથી તેમને હળવો તાવ હતો. નીતિશ કુમાર સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના શપથગ્રહણ સમારંભમાં ભાગ લેવાનો હતો. જો કે, તેઓ જઈ શક્‍યા નહોતા. ત્‍યાર બાદ ભાજપ સાથેના રાજકીય સમીકરણોને લઈને કેટલાય પ્રકારની અટકળો વહેતી થઈ હતી. નીતિશ કુમાર છેલ્લા ૧૦ દિવસમાં ત્રણ મોટા કાર્યક્રમોથી દૂર રહ્યા હતા. આ જ કારણે કેટલાય પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. આ અગાઉ ૧૭ જૂલાઈના રોજ નીતિશ કુમાર અમિત શાહ દ્વારા આયોજીત કાર્યક્રમમાં પણ ભાગ લેવા પહોંચ્‍યા નહોતા.

નીતિશ કુમારનો કોરોના ટેસ્‍ટ કરવામાં આવ્‍યો હતો, જયાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો છે. ત્‍યાર બાદ તેમની સારવાર શરુ કરી દેવામાં આવી છે. હાલમાં તેમની તબિયત સારી છે. નીતિશ કુમારને ડોક્‍ટરે આરામ કરવાની સલાહ આપી છે. આ અગાઉ વર્ષની શરૂઆતમાં જાન્‍યુઆરીમાં પણ નીતિશ કુમારની સાથે સાથે તેમના મંત્રીમંડળના કેટલાય મંત્રીઓ કોરોનાની ઝપટમાં આવી ગયા હતા.

(1:35 pm IST)