Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

શું સોનીયા ગાંધીની પુછપરછ ન થવી જોઇએ? વિરોધ નહીં સ્‍વીકારવાની જરૂરઃ સંબીત પાત્રા

નેશનલ હેરાલ્‍ડ કેસ મામલો

નવી દિલ્‍હી તા. ર૬: ભાજપ નેતા સંબીત પાત્રાએ સોનીયા ગાંધીની ઇડીની પુછપરછને લઇને કોંગ્રેસની બબાલ ઉપર નિશાન સાધ્‍યુ છે. પાત્રાએ કહ્યું કે, શું સોનીયા ગાંધીની પુછપરછ ન થવી જોઇએ? સત્‍યાગ્રહના નામે જગ્‍યાએ જગ્‍યાએ ટ્રાફીક રોકવાનો પ્રયાસ થઇ રહ્યો છે. વિરોધની જરૂર નથી પણ એકરારની જરૂર છે. તે પ હજાર કરોડનું ગબન છે. અત્‍યારે જ સ્‍વીકાર કરવાની જરૂર છે કે કઇ પ્રકારે આખુ ષડયંત્ર રચવામાં આવેલ. યંગ ઇન્‍ડીયા કંપનીના માધ્‍યમથી કોંગ્રેસ અધ્‍યક્ષ સોનીયા ગાંધી અને રાહુલ ગાંધીએ યંગ ઇન્‍ડીયન કંપની બનાવી ગબન કર્યું.

(3:40 pm IST)